દિલ્હીના જહાંગીરપુરીમાં MCDની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવેલો સ્ટે યથાવત રહેશે. બે સપ્તાહ બાદ ફરી આ મામલે સુનાવણી થશે.
દિલ્હીના જહાંગીરપુરીમાં ગેરકાયદે બાંધકામ પર MCDએ કરી હતી કાર્યવાહી
સુુપ્રીમ કોર્ટે ગઇ કાલે યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો
આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી
દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ ગેરકાયદે બાંધકામ પર MCDએ બુધવારે બુલડોઝર ચલાવડાવી કડક કાર્યવાહી કરી હતી. જેની પર સુપ્રીમ કોર્ટે ગઇ કાલે યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારે આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, 'જહાંગીરપુરીમાં હાલ બુલડોઝર નહીં ચલાવાય. જહાંગીરપુરીમાં દબાણ હટાવવાની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત્ રહેશે. એટલે કે આગામી સુનાવણી સુધી જહાંગીરપુરીમાં દબાણ હટાવવાની કામગીરી પર રોક લગાવાયો છે. 2 સપ્તાહ બાદ ફરી આ મામલે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. સરકારને સોગંદનામુ રજૂ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.'
Supreme Court halts demolition drive in Jahangirpuri for next two weeks, says, "will take a serious view of the demolitions carried out after information was given to Mayor"
જાણો શું હતો સમગ્ર મામલો? અત્યાર સુધીની ઘટનામાં શું થયું?
દિલ્હીના જહાંગીરપુરીમાં 16 એપ્રિલ એટલે કે હનુમાન જયંતિના દિવસે હિંસા ફાટી નીકળી હતી.
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની 14 ટીમો તપાસમાં લાગેલી છે. જેમાં 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ ભાજપે MCD પાસે માંગ કરી હતી કે હિંસાના આરોપીઓની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવું જોઈએ. જેમ યુપી, એમપી અને ગુજરાતમાં થયું હતું.
ભાજપની આ માંગ બાદ MCD એ આદેશ જારી કરીને કહ્યું હતું કે, તેઓ 20 અને 21 એપ્રિલે જહાંગીરપુરીમાં અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ અભિયાન ચલાવશે. જો કે, MCD એ પોતાના આદેશમાં જહાંગીરપુરી હિંસાનો ઉલ્લેખ નથી કર્યો. જો કે આ અભિયાન જહાંગીરપુરી હિંસાના સ્થળે જ યોજાશે તેમ કહ્યું હતું.
બાદમાં બુધવારે MCD એ સવારે લગભગ 10 વાગ્યે અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામ હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. જો કે થોડા સમય બાદ જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર સુપ્રીમ કોર્ટે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો હતો.
જો કે, MCD ને ઓર્ડર ન મળ્યો હોવાનો દાવો કરીને લગભગ 2 કલાક સુધી તોડફોડની કામગીરી ચાલુ રહી હતી.
MCD એ જહાંગીરપુરીમાં લગભગ બે કલાક સુધી કાર્યવાહી શરૂ રાખી હતી. જો કે, બાદમાં MCD એ કહ્યું કે, 'અમને સુપ્રીમ કોર્ટનો આદેશ મળ્યો છે. આથી અમે કાર્યવાહી અટકાવી દીધી છે.'
Supreme Court bench of Justices L Nageswara Rao and BR Gavai begins hearing plea against demolition drive in Delhi's Jahangirpuri pic.twitter.com/izpvhpZ70m
અત્રે તમને જણાવી દઇએ કે, દિલ્હીમાં જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના રોજ થયેલી હિંસા બાદ બુધવારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. જેમાં લગભગ 7 જેટલાં બુલડોઝર જહાંગીરપુરી પહોંચ્યા હતાં. જેના દ્વારા રસ્તામાં પડેલો સામાન દૂર કરવામાં આવ્યો હતો. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે લગભગ 1500 સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરાયા હતાં. આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના કમિશનર સહિત 100 કર્મચારીઓ પણ હાજર હતાં.
Delhi | Visuals from Jahangirpuri where a demolition drive that was being carried out by North Delhi Municipal Corporation was stayed by the Supreme Court yesterday
નોંધનીય છે કે, 20 અને 21 એપ્રિલના રોજ એમ બે દિવસ સુધી જહાંગીરપુરીમાં બુલડોઝર ચલાવવાની કાર્યવાહી થવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી પર રોક લગાવી દેતા એટલે કે કોર્ટે હાલ જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હોવાથી દબાણ હટાવવાની કાર્યવાહી સ્થગિત કરાઇ હતી. જો કે આ મામલે આજે સુનાવણી હતી.
જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ
તાજેતરમાં જ દેશમાં તમામ જગ્યાએ રમખાણો થયા છે. ત્યારે આ રમખાણો બાદ યુપી અને એમપીમાં પ્રશાસન દ્વારા હિંસાના આરોપીઓની મિલકતો પર બુલડોઝર ચલાવવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે એવામાં જમિયત ઉલેમા-એ-હિંદે આ કાર્યવાહી પર રોક લગાવવાની માંગણી કરતી એક અરજી દાખલ કરી હતી. એટલું જ નહીં, જમિયત ઉલેમા-એ-હિંદે બુધવારે જહાંગીરપુરીમાં થઈ રહેલી કાર્યવાહી પર પણ રોક લગાવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી અને વહેલામાં વહેલા સુનાવણી કરવાની માંગ કરી હતી.