પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા પી. ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈના સકંજામાં છે. દિલ્હી હાઈકોર્ટથી જામીન ન મળ્યા બાદ સીબીઆઈએ ચિદમ્બરમને ધરપકડમાં લીધાં હતાં. અદાલત દ્વારા મળેલી કસ્ટડી આજે પૂર્ણ થઈ હતી ત્યારે તેમની જામીન અરજી પર સુપ્રીમે ઝટકો આપી અરજી ફગાવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ધરપકડ થયા બાદ જામીન અરજી કરવાનો કોઈ મતબલ નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો અને ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી હતી.
દિલ્હી હાઈકોર્ટથી અગ્રિમ જામીન ન મળવાના કારણે નાટકીય અંદાજમાં સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને 21 ઓગસ્ટે ગિરફ્તાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીની તરફથી આ બાબતે પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ ચિદમ્બરમના સપોર્ટમાં ઊભા રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની યાદીમાં ચિદમ્બરમની સુનાવણી લિસ્ટ થઈ નહોતી. કપિલ સિબ્બલે જસ્ટિસ ભાનુમતી સામે આ બાબતનો વિરોધ કર્યો હતો. જેના જવાબમાં જજે કહ્યું કે CJIએ આ કેસની લિસ્ટિંગના ઓર્ડર આપ્યા નથી. ઉલ્લેખનીય છે કે પી. ચિદમ્બરમની તરફથી સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈની ગિરફ્તારી, સીબીઆઈની કસ્ટડી અને ઈડી કેસમાં મામલો નોંધવામાં આવ્યો હતો.
હવે ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતાં ED પૂર્વ વિત્તમંત્રીને હિરાસતમાં લેશે અને પૂછપરછ કરશે. ગયા શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં વિવાદ થયો હતો. ઈડીએ અદાલતને ચિદમ્બરમના વિદેશી ખાતા અને સંપત્તિને વિશે સૂચિત કર્યા હતા. ઈડીએ કોર્ટને જણાવ્યું કે નાણામંત્રીના રૂપમાં ચિદમ્બરમે પોચાના અધિકારિક પદનો કઈ રીતે દુરઉપયોગ કર્યો છે.
Senior lawyer, Kapil Sibal today mentioned before Supreme Court that despite court's order, the petition challenging CBI's remand order of P Chidambaram in connection with INX-Media case hasn't been listed for hearing today. pic.twitter.com/Wi9v1ByztE
સીબીઆઈને વધી છે આશા
સૂત્રોના કહેવા પ્રમાણે સીબીઆઈને આશા છે કે તેઓને કોર્ટથી પી. ચિદમ્બરમની કસ્ટડી થોડા વધારે દિવસો માટે મળી શકે તેમ છે. સીબીઆઈની માંગ રહેશે કે ચિદમ્બરમ પૂછપરછમાં તેમને સહયોગ આપે. હાલમાં સીબીઆઈને પૂછપરછ માટે વધારે સમય મળ્યો નથી. સાથે 5 દિવસમાં જે નવી વાતો સામે આવી છે તેની પણ વધારે તપાસ કરાશે.
આજે પૂરી થઈ સીબીઆઈની કસ્ટડી
શુક્રવારે સીબીઆઈને પી. ચિદમ્બરમને 4 દિવસની કસ્ટડી મળી હતી. રાઉઝ એવન્યૂ કોર્ટે પી. ચિદમ્બરમને જામીન આપવાની ના પાડી અને હવે આજે તેમની કસ્ટડી પૂરી થઈ હતી. એ સમયે સીબીઆઈની ટીમ તેમને ફરી કોર્ટમાં રજૂ કરશે અને સાથે જ કસ્ટડી વધારવાની માંગ પણ કરી શકે છે. સીબીઆઈ પી. ચિદમ્બરમની પાંચ દિવસની કસ્ટડી માંગી શકે છે.
ચિદમ્બરમના વકીલો નારાજ
સીબીઆઈએ આ કેસમાં જે રીતે પૂર્વ નાણામંત્રીને ગિરફ્તાર કર્યા છે તેનાથી તેમના વકીલ નારાજ છે. વકીલોનું કહેવું છે કે સીબીઆઈ પાસે કોઈ ઠોસ સબૂત નથી. આ કારણે તેઓએ ચિદમ્બરમને છોડી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં આજે સીબીઆઈની કસ્ટડી અને ઈડી મામલે અંતરિમ જામીનના મુદ્દે પણ સુનાવણી થવાની હતી પરંતુ સુપ્રીમે જામીન અરજી ફગાવી દીધી હતી.