કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. જેના કારણે મજૂરો જે તે રાજ્યમાંથી પોતાના રાજ્યોમાં જઈ રહ્યા છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સોમવારે કોર્ટે એક જાહેર હિતની અરજી પર સુનવણી કરી હતી. જેમાં કેન્દ્ર સરકારને આ મામલાની તપાસ કરવા અને બે રાજ્યોના વચ્ચેના મજુરોની આવન જાવન પર પગલા ભરવાનો આદેશ આપ્યો છે.
ગૃહમંત્રાલયે મજુરોને પોતાના રાજ્યમાં જવા પરવાનગી નથી આપી
સુપ્રીમ કોર્ટે કહ્યું મજુરોની આવન જાવન પર પ્રતિંબંધ મુકવામાં આવે
ગૃહ મંત્રાલયે મજુરોને લઈને દિશા નિર્દેશ જાહેર કર્યા છે
સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પુછ્યુ કે આ જાણકારીને કેવી રીતે અમલમાં લેશો કે મજુરોની આવન જાવન પર પ્રતિંબંધ મુકવામાં આવે. આ અંગે અરજદારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે લોકો તેમના મુળ વતનમાં પાછા મોકલીશું. જો કે ગૃહ મંત્રાલયે કોઈ પણ પ્રકારની આવન જાવન માટે પરવાનગી નથી આપી.
આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ગૃહ મંત્રાલયે મજુરોને લઈને દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે ગત દિવસોમાં મંત્રાલયે મજુરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ જાહેર કરી છે. જેમાં મજુરોને કોઈ પણ રાજ્યમાં જવાની પરવાનગી નથી.
ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું છે કે લોકડાઉનના કારણે દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા મજૂરોને કેટલીક શરતોની સાથે રાજ્યની અંદર તેમના કામના સ્થળે જવાની પરવાનગી આપવામાં આવે. જો કે લોકડાઉનમાં કોઈ પણ મજુરોને અન્ય રાજ્યોમાં જવાની પરવાનગી નથી.