હિન્દી ન્યૂઝ ચેનલના પત્રકાર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. અદાલતે રોહિતની ધરપકડ પર રોક લગાવી છે.
હિન્દી ન્યૂઝ ચેનલના પત્રકાર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત
સુપ્રીમ કોર્ટે રોહિત રંજનની ધરપકડ પર લગાવી રોક
રોહિત રંજને તમામ FIRને એક સાથે ક્લબ કરવા કરી હતી અપીલ
હિન્દી ન્યૂઝ ચેનલના પત્રકાર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત
હિન્દી ન્યૂઝ ચેનલના એંકર અને પત્રકાર રોહિત રંજનને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. અદાલતે રોહિતની ધરપકડ પર રોક લગાવી છે. કોર્ટે રોહિતની અરજી પર કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકારને નોટીસ જાહેર કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે દેખાડીને સમાચાર પ્રસારિત કરવાનો આરોપમાં કેટલાક રાજ્યોમાં રોહિત રંજનના વિરૂદ્ધ FIR નોંધાવામાં આવી છે. રંજનને સુપ્રીમ કોર્ટથી તેમની અરજી પર તાત્કાલીક સુનવણી કરવા માટે અનુરોધ કર્યો હતો.
રોહિત રંજને તમામ FIRને એક સાથે ક્લબ કરવા કરી હતી અપીલ
રંજનની અરજીમાં તમામ FIRને એક સાથે ક્લબ કરવા અને કથિત અપરાધ માટે દંડાત્મક કાર્યવાહી સંરક્ષણ આપવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મંગળવારે છત્તીસગઢ પોલીસને એક ટીમ રોહિત રંજનને તેમના ઘરે થી ધરપકડ કરીને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પહોંચી હતી. જો કે, નોઈડા પોલિસે તેમને રાત્રે જ ધરપકડ કરી હતી. અને રાત્રે જ જમાનત પર છોડી મુકવામાં આવ્યા હતાં. ઉલ્લેખની છે કે, રંજને પોતાના ટીવી શોમાં ગાંધીના નિવેદનને ખોટી રીતે ઉદયપુર હત્યાકાંડ સાથે જોડીને દેખાડ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીનું નિવેદન કરેળના વાયનાડ સ્થિત તેમની ઓફિસમાં કથિત તોડફો઼ સાથે જોડાયો હતો.
આ અંગે રોહિત રંજને પણ માંગી માફી
આ સાથે રંજનને પોતાના શો ડીએનએમાં 2જી જુલાઈએ માફી માંગવી પડી હતી. કથિત વિવાદિત સામગ્રી એક દિવસ પહેલા એટલે કે, 1 જુલાઈએ ચેનલ પર દેખાડવામાં આવી હતી, રંજનને ટ્વિટ કરતાં કહ્યું હતું કે,અમારા શો ડીએનએમાં રાહુલ ગાંધીનું નિવેદન ઉદયપુરની ઘટના સાથે જોડી ખોટો મેસેજ જતો રહ્યો હતો.આ એક માનવીય ભૂલ હતી. જેના માટે અમારી ટીમ ક્ષમાપ્રાર્થી છે.
કોંગ્રેસના ધારાસભ્યએ FIR નોંધાવી હતી.
છત્તીસગઢની પોલીસે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવની ફરિયાદ પર રંજન અને જી ન્યૂઝના અન્ય સ્ટાફના વ્યક્તિ સામે અલગ-અલગ સમૂહોની વચ્ચે દુશ્મની વધરવા અને લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. યાદવે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, જે વિડીયોમાં રાહુલે તેની વાયનાડ ઓફિસના તોડફોડ કરનારાઓએ બાળકો ગણાવ્યું હતું કે, અને કહ્યું કે, તેમના મનમાં તેમના માટે કોઈ દુર્ભાવના નથી. તે ટીવી ચેનલે 1 જુલાઈએ ખોટી રીતે પ્રદર્શીત કર્યો હતો. એવી રીતે કે રાહુલ ઉદયપુરના દરજી કન્હૈયા લાલના હત્યારાઓને માફ કરવાની વાત કરી રહ્યાં છે.