સુપ્રીમ કોર્ટમાં આજે નવા ચાર જજોએ શપથવિધી લીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તમામ ચાર જજોને શપથ લેવડાવી છે. સુપ્રીમ કોર્ટમાં શપથ લેતા પહેલા આ તમામ ચાર જજ હિમાચલ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ વી રામ સુબ્રમણ્યન, રાજસ્થાન હાઇકોર્ટથી આર રવિન્દ્ર ભટ્ટ, પંજાબ હરિયાણા હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ કૃષ્ણ મુરારી અને કેરલ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ ઋષિકેશ રૉય હતાં.
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોએ પદ અને ગોપનીયતાની શપથ લીધી
સુપ્રીમ કોર્ટમાં કુલ જજોની સંખ્યા વધીને 34 થઇ ગઇ
તમને જણાવી દઇએ કે 18 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચાર નવા જજોની નિયુક્તિને મંજૂરી આપી હતી. જસ્ટિસ રામ સુબ્રમણ્યન, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ હૃષિકેશ રૉયે શપથ ગ્રહણ કર્યા છે.
નવા જજોની નિયુક્તિ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 34 થઇ ગઇ છે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 31 હતી. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સંખ્યા વધારીને 34 કરી દીધી હતી. જેમાં ચીફ જસ્ટિસ પણ શામેલ છે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે હિમાચલ પ્રદેશ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ રામ સુબ્રમણ્યન, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનાં જસ્ટિસ કૃષ્ણ મુરારી, રાજસ્થાન હાઇકોર્ટનાં આર રવિન્દ્ર ભટ્ટ અને કેરલ હાઇકોર્ટનાં હૃષિકેશ રૉયનાં નામની ભલામણ સરકારને મોકલી હતી.
The four new judges who took oath as Supreme Court judges are Chief Justice Krishna Murari of Punjab&Haryana High Court, Chief Justice of Rajasthan High Court S. Ravindra Bhat, Chief Justice V. Ramasubramanian of Himachal Pradesh, & Kerala High Court Chief Justice Hrishikesh Roy. https://t.co/UWygV8jdNM
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 10 ટકા વધારવાનું બિલ લોકસભા અને રાજ્યસભાએ તાજેતરમાં જ પસાર કર્યુ હતું. આ બિલમાં જો કે જજોની વધેલી સંખ્યા અનુસાર સરકારી ખજાનાથી રૂપિયાની ફાળવણી કરાવવાનું પણ હતું, તેથી આને નાણાંકીય બિલનાં રૂપમાં બંને ગૃહમાંથી બિલ પસાર કરાવવું પડ્યું હતું.