ઉત્તર પ્રદેશ સરકાર તરફથી લવ જેહાદની વિરુદ્ધ લાવવામાં આવેલા અધ્યાદેશને રાજ્યપાલ પાસેથી મંજૂરી મળી ચૂકી છે. હવે આ કાયદો બની ગયો છે. જોકે કાયદાનો ઘણો વિરોધ થયો છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુરે આ કાયદાને પસંદગીની સ્વતંત્રતાની વિરુદ્ધ ગણાવ્યો છે.
આ કાયદો રક્ષા માટે વિકસિત કરવામાં આવેલા ન્યાયશાસ્ત્રનું ઉલંઘન
લોકુરે આ કાયદાને પસંદગીની સ્વતંત્રતાની વિરુદ્ધ ગણાવ્યો
કાયદાનો ઘણો વિરોધ થયો છે.
રક્ષા માટે વિકસિત કરવામાં આવેલા ન્યાયશાસ્ત્રનું ઉલંઘન
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુરે એક લેક્ચર દરમિયાન કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હાલમાં જ પસાર થયેલા અધ્યાદેશ દુર્ભાગ્યપૂર્ણ છે. જેમાં જબરજસ્તી, વિશ્વાસઘાત અથવા છેતરીને કે ફોસલાવીને ધર્માંતરણ કરી લગ્ન કરાવવાની વાત કરવામાં આવી છે. એવું એટલા માટે છે કે આ અધ્યાદેશ પસંદગીની આઝાદી, ગરિમા અને માનવાધિકારોને અનદેખી કરે છે. મદન લોકુરે કહ્યું કે આ ધર્માંતરણ સંબંધીત લગ્નોની વિરુદ્ધ આ કાયદો સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી પસંદગીની આઝાદી અને વ્યક્તિની ગરિમાની રક્ષા માટે વિકસિત કરવામાં આવેલા ન્યાયશાસ્ત્રનું ઉલંઘન છે.
પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે
તેમણે 2018માં હાદિયા કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હાદિયા કેસમાં 2018માં સુપ્રીમ કોર્ટ તરફી આપવામાં આવેલો આદેશ શુ હતો. તેમણે કહ્યું કે એક મહિલા પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કરી ઈસ્લામ અપનાવી શકે છે અને પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે.
રાજ્યપાલે આપી અધ્યાદેશને મંજૂરી
ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે 24 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને મંજૂરી આપી હતી. આ બાદ આને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબહેન પટેલે આજે આ અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. અધ્યાદેશમાં જણાવ્યાનુંસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષની સજા થશે, આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લાધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવાની રહેશે.
નિયમ તોડવા પર થશે આટલી સજા
આ પ્રપત્રનું ઉલંઘન કરનારને થશે ઓછામાં ઓછી 6 મહિનાની અને વધુંમાં વધુ 3 વર્ષની જેલની સજા. સાથે ઓછામાં ઓછી 10 હજાર રુપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. ત્યારે અનેક ધાર્મિક પુજારી, મૌલવી વગેરે જો પોતાના પ્રપત્રનું ઉલંઘન કરશે તે તેમને ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધું 5 વર્ષની સજા થઈ શકે છે. ત્યારે ઓછામાં ઓછા 25 હજાર રુપિયાનો દંડ લગાવી શકાય છે.