સમાજવાદી પાર્ટીના નેતા અને બીએસએફમાંથી બહાર નિકાળવામાં આવેલા તેજ બહાદુર યાદને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. વારાણસી સીટથી નામાંકન રદ કરવાને લઇને સુપ્રીમ કોર્ટે એમની અરજી ફગાવી દીધી છે. સીજેઆઇ રંજન ગોગાઇની અધ્યક્ષતા વાળી બેંચે તેજ બહાદુર યાદવની અરજીને ફગાવતા કહ્યું છે કે અમને આ અરજી પર એવું કોઇ મેરિટ મળ્યું નથી જેનાથી એની પર સુનવણી કરીએ.
નોંધનીય છે કે બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવને વારાણસી લોકસભા સીટથી બે વખત નામાંકન કર્યું હતું. જેમાં પહેલી વખત એમને નિર્દલીય અને બીજી વખત સપાની ટિકીટ પર નામાંકન કર્યું હતું. પરંતુ એ બંને નામાંકનોમાં આપવામાં આવેલી જાણકારી અલગ અલગ હતી. ત્યારબાદ રિટર્નિગં ઑફિસરે એમનું નામાંકન રદ કર્યું હતું. ત્યારબાદ તેજ બહાદુર યાદવે નામાંતન રદ કરવામાં આવેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે બુધવારે આ સંબંધમાં ચૂંટણી પંચ પાસેથી જાણકારી માંગી હતી.
Supreme Court dismisses plea of former BSF constable & SP candidate Tej Bahadur Yadav (in file pic)against rejection of his nomination from Varanasi LS constituency. A Bench headed by CJI Gogoi dismissing the plea said, “We don’t find any merit to entertain this petition” pic.twitter.com/SjusLxv5ZC
— ANI (@ANI) May 9, 2019
તેજ બહાદુર યાદવના અધિવક્તા પ્રશાંત ભૂષણમા માધ્યમથી દાખલ અરજીમાં કહ્યું હતું કે નિર્વાચન અધિકારીના નિર્ણયને ફગાવી દેવામાં આવે તથા ઉચ્ચ કોર્ટ અરજીકર્તાને હાઇ પ્રોફાઇલ વારાણસી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડવાની અનુમતિ આપવામાં આવે.