અયોધ્યા મામલે દાખલ કરાયેલી પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો ચુકાદો આવી ગયો છે. આ મામલે તમામ પુનર્વિચાર અરજીઓ ફગાવી દીધી છે. બંધ ચેમ્બરમાં પાંચ જજોની બંધારણીય બેંચે 18 અરજીઓ પર સુનાવણી કરી અને તમામ અરજીઓને ફગાવી દીધી. આ મામલે 9 અરજીઓ પક્ષકાર તરફથી જ્યારે 9 અન્ય અરજીકર્તાઓ તરફથી કરવામાં આવી હતી.
બંધ ચેમ્બરમાં બંધારણીય બેંચની 18 અરજીઓ પર સુનાવણી
બંધારણીય બેંચે તમામ 18 અરજીઓ ફગાવી દીધી
આ અરજિઓના મેરિટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ પહેલા નિર્મોહી અખાડાએ પણ પુનર્વિચાર અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં કહ્યું કે એક મહિના બાદ જ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નક્કી નથી થઇ. કોર્ટના આ મામલે સ્પષ્ટ આદેશ આપે. પરંતુ હવે તેમને અરજીઓ રદ્દ કરી દેવામાં આવી છે.
ચીફ જસ્ટિસ એસએ બોબડેની સાથે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને સંજવ ખન્ના સુનાવણી કરશે. આ બેંચમાં હવે સંજીવ ખન્ના નવો ચહેરો હશે. પહેલા બેંચની આગેવાની કરનાર તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રિટાયર થઇ ચૂક્યા છે. સંજીવ ખન્નાએ તેમની જગ્યા લીધી છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલે 9 નવેમ્બરે પોતાની ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે વિવાદિત જમીન રામલલાને એટલા રામ મંદિર બનાવવા માટે નિર્ણય કર્યો હતો.
9 અરજીઓ પક્ષકાર તરફથી
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની વિશેષ પીઠની સામે 9 નવેમ્બરે પોતાના નિર્ણય પર પુનર્વિચાર માટે કુલ 18 અરજીઓ દાખલ કરી. જેમાં 9 અરજીઓ પક્ષકારો તરફથી અને 9 અન્ય અરજીઓ અરજીકર્તા તરફથી હતી.
5 અરજીઓને AIMPLBનું સમર્થન
તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાની પાંચ જજોની બેંચે સર્વસમ્મતિથી સમગ્ર 2.77 એકર વિવાદિત જમીન રામ લલાને આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને યૂપી સેન્ટ્રલ સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન આપવાનો પણ આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટમાં દાખલ 18માંથી 5 અરજીઓ એવી છે જેને ઓલ ઇન્ડિયા પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) નું સમર્થન મળ્યું છે.