કોઈ બીજી ઘટના બનશે તો તેની જવાબદારી ફરીદાબાદના DCP ની રહેશે
મંજૂરી વિના બનાવી નાખવામાં આવેલ 10 હજાર ઘરો પર બુલડોઝર ફેરવવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે સોમવારે હરિયાણા સરકાર અને વન સંબંધિત અધિકારીઓને દિલ્હીના ફરીદાબાદના અરાવલી વન ક્ષેત્રના લક્કડપૂર-ખોરી ગામડાના મંજૂરી વિના બનાવી નાખવામાં આવેલ 10 હજાર ઘરો પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જજ એ એમ ખાનવિલકર અને બીજા જજ દિનેશ મહેશ્વરીની અધ્યક્ષતામાં કોર્ટે કહ્યું જે આ ગામડામાં ગેરકાયદેસર બનાવવામાં આવેલ તમામ મકાનો માત્ર 6 અઠવાડિયામાં તોડી નાખવામાં આવે.
ફરીદાબાદના અરાવલી વન ક્ષેત્રના લક્કડપૂર-ખોરી ગામડાના ઘરો
સાથે જ હરિયાણા સરકારને આદેશ આપતા કહેવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ અને બીજા સુરક્ષા દળની મદદ લે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે આ ઘરોમાં રહેતા લોકોએ કોર્ટને અરજી કરી હતી કે તેમના મકાનો તોડવામાં ન આવે. આ અરજીની સુનવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમીન પર ગેરકાયદેસર હક લઈ લેવા વાળા પોલીસની પણ મદદ લઈ શકશે નહીં.
કોઈ બીજી ઘટના બનશે તો તેની જવાબદારી ફરીદાબાદના DCP ની રહેશે
સાથે જ કોર્ટે એક મહત્વની વાત કરતાં કહ્યું કે વન વિભાગની જમીન સાથે જોડાયેલ કોઈ પણ ગેરકાયદેસર કેસનું સમાધાન કરવામાં આવશે નહીં. સાથે જ પ્રશાશન દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાંનાં લોકો દ્વારા પત્થર મારવામાં આવે છે, તેના જવાબમાં કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે આ સમયે સ્થાનિક પોલીસ અને બીજા સુરક્ષા દળોની પણ મદદ લેવામાં આવે. જો કોઈ બીજી ઘટના બનશે તો તેની જવાબદારી ફરીદાબાદના DCP ની રહેશે.