સુપ્રીમ કોર્ટે તાંડવની ટીમની વચગાળાની રાહતની માંગણી માટેની અરજી અને ધરપકડથી બચવાની અપીલ ફગાવી દીધી છે જેથી તાંડવની ટીમની મુશ્કેલીઓમાં ઘટાડો થતો જોવા નથી મળી રહ્યો.
4 અઠવાડિયા બાદ આગામી સુનાવણીની જાહેરાત
વગચાળાની રાહત આપવા અંગે નકારો
અભિવ્યક્તિની આઝાદી અનંત નથી
વચગાળાની રાહત ના મળી
વેબ સિરીઝ તાંડવનાં નિર્માતા, લેખક અને અભિનેતાઓને સુપ્રીમ કોર્ટમાંથી આજે કોઈ રાહત મળી નહી. તેમની વિરુદ્ધ દેશભરમાંથી નોંધાયેલ એફઆઈઆર પર વચગાળાની રાહત આપવા અંગે નકારો ભરી દીધો છે અને કહ્યુ છે કે જો રાહત જોઈએ છે તો હાઇકોર્ટમાં અપીલ કરો. સુપ્રીમ કોર્ટે દરેક એફઆઈઆરને જોડીને નોટીસ જાહેર કરતા આ મામલા પર 4 અઠવાડિયા બાદ આગામી સુનાવણી કરવાની જાહેરાત કરી છે. એફઆઈઆર રદ્દ કરાવવાનો આગ્રહ કરાયો હતો
ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની વેબ સિરીઝ તાંડવને લઈને ઘણાં રાજ્યોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેથી તાંડવની ટીમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીને તેમની એફઆઈઆર રદ્દ કરવાનો આગ્રહ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એક્ટર મોહમ્મદ જિશાન અયૂબ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને તાંડવનાં નિર્માતાઓને તેમનાં વિરુદ્ધ કરાયેલ એફઆઈઆરમાં ધરપકડ કરવાની સુરક્ષા અંગે નકારો ભરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આગોતરા જામીન અને એફઆઈઆર રદ્દ કરવા માટે તેઓ હાઈકોર્ટમાં અપીલ કરે. કોર્ટે એ પણ કહ્યું છે કે અભિવ્યક્તિની આઝાદી અનંત નથી. 6 રાજ્યોમાં એફઆઈઆર
જસ્ટીસ અશોક ભૂષણની આગેવાનીમાં 3 જજોની બેન્ચે તાંડવ વેબ સિરીઝનાં એક્ટર અને નિર્માતાઓ વિરુદ્ધ 6 રાજ્યો દ્વારા દાખલ કરાયેલ એફઆઈઆરને ક્લબ કરવાની માંગ પર નોટીસ જાહેર કરી છે. જ્યારે જસ્ટિસ આરએસ રેડ્ડી અને એમઆર શાહે આગોતરા જામીન આપવાની અપીલને ફગાવી દીધી છે. સમુદાયની ભાવનાને ઠેસ પહોંચે તેવી ભૂમિકા ન ભજવી શકાય
જજની બેન્ચે કહ્યું કે, તમારા અભિવ્યક્તિની આઝાદી અસીમિત નથી. તમે કોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા ચરિત્રની ભૂમિકા ના નિભાવી શકો. આરોપીઓને 20 જાન્યુઆરીએ બોમ્બે હાઈકોર્ટે ત્રણ અઠવાડિયાની અવધી માટે ધરપકડની સુરક્ષા પ્રદાન કરી હતી. જેના માટે તેઓ અલાહાબાદ હાઈકોર્ટમાં જમાનત માટે અરજી દાખલ કરી શકે છે. આરોપીઓ તેમની બાબતમાં સુરક્ષાની માંગને લઈ સુપ્રીસ કોર્ટ પહોંચ્યા હતા.