સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગને ફગાવી દીધી છે. આવતીકાલથી સર્વે શરૂ કરવાની જાહેરાત વારાણસીના DM દ્વારા કરવામાં આવી છે.
જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય
મસ્જિદના સર્વે પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગને ફગાવી
સુનાવણી પછીથી કરવામાં આવશે
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગને ફગાવી દીધી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે અને તેની સુનાવણી પછીથી કરવામાં આવશે.
Plea mentioned before the Supreme Court against a Varanasi court order which allowed the advocate commissioner to survey the Gyanvapi mosque. Supreme Court says it will first look into the files.
અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટિ વતી દાખલ કરવામાં આવેલી અરજી અંગે ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું હતું કે અમારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. તો અમે તરત જ સ્ટે ઓર્ડર કેવી રીતે કરી શકીએ?
ફાઈલો તો વાંચી લેવા દો..
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમે આ બાબતનું લિસ્ટિંગ કરી કરી શકીએ છીએ. અમે આ કેસ સંબંધિત ફાઇલો વાંચી નથી. તેમના અભ્યાસ બાદ જ કોઈ પણ પ્રકારનો આદેશ આપી કરી શકાશે.
આ મુદ્દે મુસ્લિમ પક્ષ સાથે વારાણસીના જિલ્લાઅધિકારી કૌશલ રાજ શર્માએ મિટિંગ બાદ કહ્યું હતું કે આવતીકાલથી સર્વે કમિશનની કાર્યવાહી એડવોકેટ કમિશ્નર દ્વારા કરાવવામાં આવશે. જેણે લઈને તમામ પક્ષો સાથે બેઠક્ કરવામાં આવી હતી અને શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.
આ કેસમાં અગાઉ બનેલી ઘટનાઓની ટાઈમલાઇન
અગાઉ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની લગોલગ આવેલી જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે વારાણસી કોર્ટે ગુરૂવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરે આદેશમાં કહ્યું કે કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવામાં નહીં આવે. જજ રવિ કુમારે 17 મે પહેલા જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂરો કરવાનો પણ આદેશ જારી ક ર્યો છે. મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી કરીને કોર્ટ કમિશનરને હટાવવાની માગ કરી હતી જોકે કોર્ટે તેમની આ માગને ફગાવી દઈને કમિશનરને યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટ કમિશનર અજય મિશ્રા સાથે વધુ બે વકીલોની નિમણૂક કરીને 17 મે પહેલા સર્વે પૂરો કરીને કોર્ટમાં રજૂ કરી દેવાનું જણાવ્યું છે
વારાણસી કોર્ટે કહેલી મહત્વની બાબતો
(1) જ્ઞાનવાપી મસ્જિદના તમામ સ્થળોનો સર્વે કરો
(2) કોર્ટ કમિશનર નહીં હટાવાય
(3) 17 મે પહેલા સર્વે પૂરો કરીને કોર્ટમાં જમા કરાવો