સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ સુવિધા લેવા વાળા લોકોને વ્યાજ પર વ્યાજ માફી યોજના મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, સામાન્ય માણસોની દિવાળી આપના હાથમાં છે. માટે સરકારે ઝડપથી વ્યાજ માફી યોજના લાગુ કરવી જાઇએ.
લોન મોરેટોરિયમ કેસમાં રાહત
સુપ્રીમ કોર્ટે સરકારને કરી અપીલ
સામાન્ય લોકોની દિવાળી તમારા હાથમાં
આ પહેલા સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ કેસની સુનાવણી મોકૂફ રાખવા વિનંતી કરી હતી. આ પછી કેસની સુનાવણી 2 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.
સમગ્ર દેશમાં લોકડાઉન લગાવાયું હતું
ઉલ્લેખનીય છે કે, કોરોના ચેપને રોકવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવી દીધું હતું. તે સમયે ઉદ્યોગો સંપૂર્ણ બંધ હતા. તેથી જ ઉદ્યોગપતિઓ અને કંપનીઓ માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ હતી. ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં લોનના હપ્તા ભરપાઇ કરવી મુશ્કેલ હતી. આવી સ્થિતિમાં રિઝર્વ બેંકે લોન મોરટોરિયમની સુવિધા આપી હતી.
લોન રિસ્ટ્રકચરિંગ અંગે મોટી જાહેરાત કરી
લોન રિસ્ટ્રકચરિંગ યોજના મુદ્દે RBI એ આ અંગે મોટી જાહેરાત કરી છે. RBI એ જણાવ્યું છે કે 1 માર્ચ, 2020 સુધીમાં, જે ખાતાઓ ડિફોલ્ટ થયા નહોતા તેમને જ કોરોના મહામારીથી જોડાયેલ યોજનાના માળખા હેઠળ રિસ્ટ્રકચરિંગ માટે યોગ્ય માનવામાં આવશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI એ દેશભરમાં ફેલાયલી કોરોના મહામારી વચ્ચે લોન રિસ્ટ્રકચરિંગ અંગે મોટી જાહેરાત કરી છે. RBI એ કહ્યું કે 1 માર્ચ, 2020 સુધી કોઈ પણ લોન જે ડિફોલ્ટ થયા વિનાની રહેલી છે તેને જ ઓગસ્ટમાં જાહેર થનારી કોરોના મહામારી સાથે જોડાયેલ યોજનાના માળખા હેઠળ રિસ્ટ્રકચરિંગ માટે યોગ્ય માનવામાં આવશે.
SBI એ બહાર પાડ્યું હતું નિવેદન
અગાઉ, દેશની જાહેર ક્ષેત્રની બેન્ક SBI વતી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 1 માર્ચ, 2020 ના રોજ, ફક્ત બેંકની બુક્સમાં નોંધેલા હોય એવા એકાઉન્ટ ને જ આ સ્કીમ માટે માન્ય ગણવામાં આવશે.