રાજકોટમાં લાગેલી આગ મુદ્દે સર્વોચ્ચ અદાલતે રૂપાણી સરકારનો ઉધડો લીધો છે. અદાલતે આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને સોલિસિટર જનરલને પણ આકરા સવાલો કર્યા છે.
ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓના કારણે કોરોના વાયરસની સામે ઝઝૂમી રહેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગ બાદ પણ મોટા શહેરોની હોસ્પિટલમાં એજ બેદરકારી કરવામાં આવે છે. રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ બાદ દોડધામ મચી છે જેમાં પાંચ નિર્દોષ મોતને ભેટી ગયા.
Supreme Court: We take cognisance of the incident that happened in Rajkot where 6 people in COVID hospital ICU due to fire. This is happening else where too. We take no complete steps have been taken in this regard. SG will submit what steps are taken in this case.
જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું કે રાજકોટની આગની ઘટના ખૂબ જ ગંભીર
રાજકોટની આ ઘટનાના પડઘા સર્વોચ્ચ અદાલતમાં પણ પડ્યા છે. સર્વોચ્ચ અદાલતે રાજકોટની આ ઘટનાને સુઓમોટો તરીકે લીધી અને સરકારને ખખડાવીને જવાબ માંગ્યા. જસ્ટિસ ભુષણે પૂછ્યું કે આગ બુઝાવવા માટે હોસ્પિટલમાં કેમ કોઈ વ્યવસ્થા નથી? કોર્ટે એમ પણ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં કોરોના વાયરસ મુદ્દે સુનાવણી થઇ રહી છે અને એવામાં જ્યારે ગુજરાતની હોસ્પિટલો કોરોના અને આગથી પણ દર્દીઓને બચાવી નથી શકતી ત્યારે કોર્ટે રૂપાણી સરકારનો ઉધડો લેતા કહ્યું કે ગુજરાતમાં આ પહેલી ઘટના નથી એટલે ગુજરાત સરકાર જવાબ આપે. કોર્ટે કહ્યું કે ઘટનામાં જે લોકો જવાબદાર છે તેની ધરપકડ થવી જોઈએ.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને હૈયાધારણ આપી
સુપ્રીમકોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ગુજરાતની ઘટના વિશે આકરા સવાલો કર્યા જે બાદ SG મેહતાએ કોર્ટને હૈયાધારણ આપી કે તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું. નોંધનીય છે કે હવે રાજકોટની આ ઘટના મુદ્દે સરકાર દ્વારા એક રિપોર્ટ સર્વોચ્ચ અદાલતમાં આપવામાં આવશે.
SC: We also direct state of Gujarat to submit a report on the #Rajkotfire by Tuesday.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આગની ઘટનામાં 5ના મોત
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં.
ICU રૂમમાં 3 અલગ-અલગ કંપનીના વેન્ટિલેટર હતા
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ICUમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ICU રુમમાં ત્રણ અલગ-અલગ કંપનીના વેન્ટિલેટર હતા. જેમાં હેમીલ્ટન, L&T અને ધમણ કંપીનાના વેન્ટિલેટર હતા.
મૃતકોના નામ
રામશીભાઇ
નિતિનભાઇ બાદાણી
રસિકલાલ અગ્રાવત
સંજય રાઠોડ
કેશુભાઈ અકબરી
હોસ્પિટલો 'મોતની પથારી' કેમ બની રહી છે?
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર મોટાભાગની હોસ્પિટલો બિઝનેસમેન ચલાવે છે ડોક્ટર અને નિષ્ણાંત તબીબો નહી