સુનાવણી દરમ્યાન સુષ્મિતા દેવ તરફથી રજૂ કરવામાં આવેલ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, 31 દિવસોમાં બેનું સમાધાન કર્યુ છે. આ ઝડપથી 250 દિવસોથી પણ વધારે સમય લાગશે. સમાધાન પણ કર્યુ તો કારણ સાચુ નથી જણાવ્યું.
તેઓએ વધુમાં એમ કહ્યું કે, 40 ફરિયાદો કરી હતી. 20નાં ઓર્ડર પાસ થયાં તો બીજા લોકોની વિરૂદ્ધ હતાં. પરંતુ પીએમ મોદી અને અમિત શાહની વિરૂદ્ધ કોઇ જ કાર્યવાહી નથી થઇ. 6મેનાં 462 સીટો માટે ચૂંટણી થઇ ચૂકી હશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ચૂંટણી આયોગે મંગળવાર અને બુધવારનાં રોજ આદેશ આપ્યો હતો પરંતુ અમને આદેશ ના મળ્યો. અમને મીડિયા દ્વારા ઓર્ડર મળ્યો છે. આની પર ચીફ જસ્ટિસે કહ્યું કે, આપને મીડિયા દ્વારા ઓર્ડર મળ્યો અથવા તો મીડિયા માટે ઓર્ડર મળ્યો.
SCએ ચૂંટણી આયોગે રજૂ કરી હતી નોટિસઃ
આ પહેલાં મંગળવારનાં રોજ સુપ્રીમ કોર્ટે સુષ્મિતા દેવની અરજી પર ચૂંટણી આયોગને નોટિસ રજૂ કરી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું કે, ચૂંટણી આયોગ આચારસંહિતા મામલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ આવશ્યક કાર્યવાહી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મુદ્દા પર પહેલાં ચૂંટણી આયોગનો નિર્ણય સામે આવવા દો. ચૂંટણી આયોગે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, આ મુદ્દા પર હજી તેમની બેઠક ચાલી રહી છે. તેઓ જલ્દીથી કોઇ એક્શન લેશે.