કોરોનાથી મોતના વળતર મામલે ખોટા દાવ કરતા લોકો પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. લોકો ખાલી 50000 હજાર માટે થઈને નકલી સર્ટિફિકેટ જમા કરાવી સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
વળતર માટેના નકલી દાવાથી સુપ્રીમ કોર્ટ ચિંતિત
લોકો વળતર માટે ખોટા સર્ટિફિકેટ જમા કરાવતા ગંભીર સવાલ
તમામ પક્ષકારો પાસે સૂચનો માગ્યા
કોરોનાથી મોતના વળતર મામલે ખોટા દાવ કરતા લોકો પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યારે અમે વળતરનો આદેશ આપ્યો હતો, ત્યારે કલ્પના પણ નહોતી કરી કે, આ પ્રકારના ખોટા દાવા પણ લોકો કરશે. સોલિસીટર જનરલે CAGથી ઓડિટની ભલામણ કરી છે. તો વળી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી એફિડેવિટ દાખલ કરવાનું કહ્યું છે.
Supreme Court expresses concern over misuse of its order, to get Rs 50,000 ex-gratia for death due to #COVID19 on the basis of fake medical certificate. Supreme Court indicates that it may order a probe into it by CAG. pic.twitter.com/cWcjMkfTsz
ગત અઠવાડીયે સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, તેમના આદેશ અનુસાર તમામ રાજ્યોમાં વળતર આપવામાં આવી રહ્યું છે. પણ એ સમસ્યા પણ જોવા મળી છે કે, ડોક્ટર નકલી સર્ટિફિકેટ આપી રહ્યા છે. કોર્ટે તમામ પક્ષોને તેનાથી કેવી રીતે બચી શકાય તેના માટે સૂચનો આપવા કહ્યું છે.
કોર્ટેમાં સરકારે આ વાત કહી
વડી અદાલતે નકલી કોરોના પ્રમાણપત્ર પર અંકુશ લગાવવા માટે સૂચનો માગ્યા છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નકલી કોરોના સર્ટિફિકેટ અથવા નકલી દવાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પીઠને કહ્યું કે, કોર્ટના આદેશ અનુસાર હાલમાં ડોક્ટર્સ દ્વારા આપવામાં આવતા મૃત્યુ પ્રમાણપત્રના આધાર પર જ વળતરની રકમ આપવામાં આવે છે. જેનાથી કેટલાય લોકો કોર્ટના આદેશનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને ડોક્ટર્સને પૈસા આપીને નકલી પ્રમાણપત્રો બનાવે છે.