ત્રણ કૃષિ કાયદાનું અધ્યયન કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂંક કરવામાં આવેલી સમિતિએ મોટો ખુલાસો કર્યો છે. આ સમિતિએ તાજેતરમાં પોતાનો રિપોર્ટ જાહેર કરી દીધો છે.
રદ કરવામાં આવેલા કૃષિ કાયદાને લઈને મોટો ખુલાસો
સમિતિએ રિપોર્ટ જાહેર કર્યો
આટલા ટકા લોકો આ કાયદાના સમર્થનમાં હતા
ત્રણ કૃષિ કાયદાનું અધ્યયન કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂંક કરવામાં આવેલી સમિતિએ તેને સમગ્રપણે રદ કરવાના પક્ષમાં નહોતી. સમિતિ તેના બદલે નિર્ધારિત મૂલ્ય પર પાકની ખરીદીનો અધિકાર રાજ્યોને આપવા અને જરૂરી વસ્તુ કાયદાને ખતમ કરવાની ભલામણ આપી હતી. સમિતિના ત્રણ સભ્યોમાંથી એકે સોમવારે આ રિપોર્ટ જાહેર કરતા આ વાત કહી હતી. પુણેના કિસાન નેતા અનિલ ધનવટે કહ્યું કે, તેમણે ત્રણ વાર સમિતિનો રિપોર્ટ જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો. પણ જવાબ નહીં મળવાના કારણે તેઓ ખુદ જાહેર કરી રહ્યા છે. પ્રેસ કોન્ફ્રેંસમાં સમિતિના બે અન્ય સભ્યો અર્થશાસ્ત્રી અશોક ગુલાટી તથા કૃષિ અર્થશાસ્ત્રી પ્રમોદ કુમાર જોશી હાજર નહોતા.
પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા કાયદા હટાવ્યા
સમિતિએ ત્રણેય કૃષિ કાયદા પર 19 માર્ચ 2021ના રોજ પોતાની ભલામણો રજૂ કરી હતી. જેમાં અન્ય વાતો ઉપરાંત ખેડૂતોને સરકારી મંડી બહાર ખાનગી કંપનીઓને કૃષિ ઉપજ વેચવાની મંજૂરી આપવાની વાત કહી હતી. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી ગત વર્ષ નવેમ્બરમાં નરેન્દ્ર મોદી નેતૃત્વવાળી સરકારે ત્રણેય કૃષિ કાયદાને નિરસ્ત કરી દીધા હતા. ધનવટે કહ્યું કે, સમિતિએ રાજ્યોને લઘુતમ ટેકાના ભાવ સિસ્ટમને કાયદાકીય રૂપ આપવાની સ્વતંત્રતા સહિત કાયદામાં કેટલાય ફેરફારની ભલામણ કરી હતી.
ત્રણેય કાયદાની હવે કોઈ પ્રાસંગકિતા નથી
સમિતિએ આ પણ ભલામણ આપી હતી કે, ઓપન એંડેડ ખરીદી નીતિને બંધ કરી દેવામાં આવે અને એક મોડલ અનુબંધ કરાર તૈયાર કરવામા આવે. સ્વતંત્ર ભારત પાર્ટીના અધ્યક્ષ ધનવટે કહ્યું કે, હું આજે આ રિપોર્ટ જાહેર કરુ છું. ત્રણેય કાયદાને રદ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે હવે તેની કોઈ પ્રાસંગિકતા નથી. ધનવટના જણાવ્યા અનુસાર રિપોર્ટથી ભવિષ્યમાં કૃષિ ક્ષેત્ર માટે નીતિઓ બનાવામાં મદદ મળશે.
ફક્ત 13.3 ટકા હિતધારકો કૃષિ કાયદાના પક્ષમાં નહોતા
હિતધારકોની સાથે સમિતિની દ્વિપક્ષીય વાતચીતથી જાહેર થયું છે કે, ફક્ત 13.3 ટકા લોકો ત્રણેય કૃષિ કાયદાની વિરુદ્ધમાં હતા. ધનવટે કહ્યું કે, 3.3 કરોડથી વધારે ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરનારા લગભગ 85.7 ટકા ખેડૂત સંગઠનોએ આ કાયદાનું સમર્થન કર્યું હતું. ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પ્રાપ્ત જવાબમાં જાહેર થયું છે કે, લગભગ 2/3 ઉત્તરદાતા કાયદાના પક્ષમાં હતા. ઈમેલના માધ્યમથી પ્રાપ્ત થયેલા જવાબમાં એ જાણવા મળ્યું છે કે, મોટા ભાગના લોકો કાયદાના સમર્થનમાં હતા.
40 સંગઠનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોતાનો મત રજૂ કર્યો નહીં
ધનવટે કહ્યું છે કે, સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ આંદોલન કરી રહેલા 40 સંગઠનોને વારંવાર અનુરોધ કરવા છતાં પણ પોતાનો મત રજૂ કર્યો નહોતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ રાષ્ટ્રના નામે સંબોધન કરતા ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની વાત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સુધાર સંબંધિત લાભો વિશે અમે વિરોધ કરનારા ખેડૂતોને સમજાવી શક્યા નહીં. ત્રણેય કૃષિ કાયદાને રદ કરવા તે દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહેલા 40 જેટલા ખેડૂત સંગઠનોની મુખ્ય માગમાંની એક હતી.