હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ મોટુ નિવેદન આપ્યું છે. તેઓએ ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટરમાં માર્યા જવાની ઘટનાની ટીકા કરી છે. જોધપુરમાં એક કાર્યક્રમમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કહ્યું કે ન્યાય ક્યારેય ઉતાવળે ન કરવો જોઇએ. તેઓએ કહ્યું કે જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો પોતાનું મૂળ ચરિત્ર ગુમાવી દે છે.
ચીફ જસ્ટિસે કહ્યું, ન્યાયને ક્યારેય પણ બદલાનું રૂપ ન લેવુ જોઇએ
ચીફ જસ્ટિસે ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટરમાં માર્યા જવાની ઘટનાની ટીકા કરી
ન્યાયમાં ઉતાવળ નહીં
જોધપુરમાં રાજસ્થાન હાઇકોર્ટની નવી બિલ્ડિંગના ઉદઘાટન સમારોહમાં જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું, 'હું નથી માનતો કે ન્યાય ક્યારેય પણ ઉતાવળે લેવો જોઇએ. મારુ માનવું છે કે જો ન્યાય બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી બેસે છે. તેઓએ કહ્યું કે, ન્યાયને ક્યારેય પણ બદલાનું રૂપ ન લેવુ જોઇએ.
#WATCH: Chief Justice of India (CJI) Sharad Arvind Bobde: I don't think justice can ever be or ought to be instant. And justice must never ever take the form of revenge. I believe justice loses its character of justice if it becomes a revenge. pic.twitter.com/oKIHKecHqt
નોંધનીય છે કે, હૈદરાબાદ ગેંગરેપ મામલાના ચારેય આરોપીઓને પોલીસે શુક્રવારે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. રિપોર્ટ મુજબ, હૈદરાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર શાદનગર પાસે ચટનપલ્લીમાં પોલીસ પાસેથી આરોપીઓએ હથિયાર છિનવી લેવાની કોશિશ કરી હતી અને બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસની કાર્યવાહીમાં ચારેય આરોપીઓ ઠાર માર્યા ગયા હતા.
હાઇકોર્ટના નવા ભવનનું ઉદઘાટન
રાજસ્થાન હાઇ કોર્ટના જોધપુર સ્થિત નવા ભવનનું ઉદઘાટન આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું. આ અવસરે ભારતના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે પણ હાજર હતા.