અમેરિકામાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ મોટી વાત કહી છે. તેમણે સંવિધાનને સર્વોપરી માનવાની વાત જણાવી છે.
ચીફ જસ્ટિટ ઓફ ઈન્ડિયાએ કહી મોટી વાત
ન્યાયપાલિકા ફક્ત સંવિધાનને જવાબદાર- CJI
સત્તાધારી પાર્ટી અને વિપક્ષ માટે આ વાત કહી
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમણાએ આજે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, સત્તાધારી પાર્ટીઓનું માનવું છે કે, સરકારી કાર્યવાહી ન્યાયિક સમર્થનની હકદાર છે, તો વિપક્ષી દળ આશા કરે છે કે, તેના દ્વારા તેને તેઓ એક્સપોઝ કરશે. પણ દેશની ન્યાયપાલિકા ફક્ત સંવિધાન પ્રત્યે જવાબદાર છે. સીજેઆઈ રમણાએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, દેશમાં હજૂ પણ સંવિધાન દ્વારા દરેક સંસ્થાને સોંપવામાં આવેલી ભૂમિકાની સમગ્રપણે બિરદાવવાનું શિખ્યું નથી.
અમેરિકામાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ રમણાએ કહ્યું કે, જેવું કે આપણે આ વર્ષ આઝાદીનું 75 વર્ષનો જશ્ન મનાવી રહ્યા છીએ અને આપણા ગણતંત્રને પણ 72 વર્ષ થયા છે. તો કંઈક અફસોસ સાથે મારે એ જોડવું પડે છે કે, આપણે હજૂ પણ સંવિધાન દ્વારા દરેક સંસ્થાને સોંપવામાં આવેલી ભૂમિકા અને તેમની જવાબદારીની પુરી નિષ્ઠાથી બિરદાવવાનું શિખ્યા નથી. સત્તામાં રહેનારી પાર્ટી એવું માને છે કે, દરેક સરકારી કાર્યવાહી ન્યાયિક સમર્થનની હકદાર છે તો વિપક્ષી પાર્ટી આશા રાખે છે કે, ન્યાયપાલિકા તેમના માટે રાજકીય પરિસ્થિતિઓ અને કારણોને આગળ વધારશે. જસ્ટિસ રમણાએ એવું પણ કહ્યું કે, સંવિધાન અને લોકતાંત્રિક સંસ્થાઓના કામકાજ વિશે લોકોમાં યોગ્ય સમજનો અભાવ છે.
સૈન ફ્રાંસિસ્કોના સમારંભમાં જોડાયા
સીજેઆઈ રમણા અમેરિકાના સૈન ફ્રાંસિસ્કો શહેરમાં એસોસિએશન ઓફ ઈંડિયન અમેરિકન્સ દ્વારા આયોજીત એક સન્માન સમારંભમાં બોલી રહ્યા હતા.
ન્યાયપાલિકાની જવાબદારી વિશે સ્થિતિ સ્પષ્ટ કરતા જસ્ટિસ રમણાએ કહ્યું કે, સામાન્ય લોકોની વચ્ચે જોરદાર પ્રચારિત છે કે, જે એવી તાકતોની મદદ કરવા માટે આવી રહી છે, જેમનો એક માત્ર ઉદ્દેશ્ય દેશની સ્વતંત્ર અંગ એટલે કે ન્યાયપાલિકાને જ ખતમ કરવાનું છે. હું તેને સ્પષ્ટ કરી દઉં. અમે ખાલી સંવિધાન અને સંવિધાન પ્રત્યે જ જવાબદાર છીએ.
લોકતંત્રમાં સૌની ભાગીદારી- CJI
અમેરિકામાં આયોજીત એક કાર્યક્રમમાં સીજેઆઈ રમણાએ કહ્યું કે, સંવિધાનમાં પરિકલ્પિત નિયંત્રણ અને સંતુલનને લાગૂ કરવાને લઈને આપણે ભારતમાં સંવૈધાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આપણે વ્યક્તિઓ અને સંસ્થાઓની ભૂમિકા તથા તેમની જવાબદારીઓ વિશે જાગૃતિ ફેલાવાની જરૂર છે. લોકતંત્રમાં સૌની ભાગીદારી છે.
સંયુક્ત રાજ્ય અમેરિકાનું ઉદાહરણ આપતા કહ્યું કે, ભારત સહિત દુનિયામાં દરેક જગ્યાએ સમાવેશિતાને સન્માન કરવાની જરૂરિયાત પર ભાર આપ્યું અને ચેતવણી આપી કે, એક બિન સમાવેશી દ્રષ્ટિકોણ એક ત્રાસદીને નોતરુ આપવા બરાબર છે.