સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક કેસનો ચુકાદો આપ્યો હતો, જેમાં વિવાહિત મહિલાઓના અધિકારને પ્રોત્સાહન મળ્યું છે.
સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો
18 વર્ષથી અલગ રહેતા પતિ પત્ની ફરી એક થશે
કોર્ટે સિંદૂરની શું વેલ્યૂ છે, તે કોર્ટમાં મૌખિક રીતે જણાવ્યું
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક કેસનો ચુકાદો આપ્યો હતો, જેમાં વિવાહિત મહિલાઓના અધિકારને પ્રોત્સાહન મળ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે ટિપ્પણી કરી હતી કે, હિન્દુ ધર્મમાં વિવાહિત મહિલાનો સુહાગ અને સિંદૂરનું મહત્વ હોય છે અને સમાજ આ દ્રષ્ટિકોણથી જ જુએ છે, તેથી પતિથી અલગ રહેતી હોય તો, પણ મહિલાઓ સિંદૂરના સહારે પોતાની આખી જિંદગી વિતાવી શકે છે. જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ એસ રવીન્દ્ર ભટની પીઠે એક મોટુ પગલું ઉઠાવતા પક્ષના પક્ષમાં આપેલા છૂટાછેડાના હુકમનામાને રદ કરી દીધું છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સુનાવણી દરમિયાન પત્ની તરફથી રજૂ થયેલા વકીલ પુરુષોત્તમ શર્મા ત્રિપાઠીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશ હાઈકોર્ટે સ્પેશિયલ નોટ કર્યું હતું કે, પતિની સાથે કોઈ ક્રૂરતા થઈ નથી અને તેને પોતાના સાસરિયાને તેના દમ પર નહોતું છોડ્યું. એટલા માટે હાઈકોર્ટનો લગ્ન ભંગ કરવાનો નિર્ણય યોગ્ય નથી. વકીલે કોર્ટમાં જણાવ્યું છે કે, મહિલા પોતાના લગ્ન ચાલુ રાખવા માગે છે. તો કોર્ટમાં પતિ તરફથી હાજર રહેલા વકીલ શિશર સક્સેનાએ પત્ની પક્ષના વકીલની માગનું ખંડન કર્યું. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 18 વર્ષથી અલગ રહી રહેલા દંપતિ માટે હવે સાથે રહેવુ અસંભવ બની શકે, પણ જે રીતે સમાજ મહિલાઓ સાથે વ્યવહાર કરે છે, તેને જોતા વિવાહ અને વિવાહની સ્થિતિની અવધારણા ખૂબ જરૂરી છે.
મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને રદ કરતા સુપ્રીમ કોર્ટે મહિલાના લગ્ન ફરીથી યથાવત રાખવા જણાવ્યું છે. જસ્ટિસ યૂયૂ લલિતે મૌખિક રીતે ટિપ્પણી કરતા કહ્યું કે, ભારતમાં અહીંની સામાજિક સ્થિતિને જોતા વૈવાહિક સ્થિતિ મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે. ખાસ વાત એ છે કે, પતિ તરફથી કહેવાયુ છે કે હવે તે સાધુ બની ગયો છે અને તેણે બધું ત્યાગી દીધું છે. પીઠે પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરી રહી હતી. જેમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના હુકમનામાને પડકાર આપવામાં આવ્યો હતો.