— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 18, 2022
આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતાં કે જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે પીડિત પક્ષનું ધ્યાન નથી રાખ્યું. પીડિત પક્ષને સાંભળવામાં નથી આવ્યો.
Supreme Court cancels bail granted to Ashish Mishra in the Lakhimpur Kheri violence case, directs him to surrender within a week pic.twitter.com/kIQJZ7UzHA
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજી પર પુનર્વિચાર કરવો જોઈએ. આ સાથે પીડિત પક્ષકારોના વકીલ દુષ્યંત દવેએ વિનંતી કરી છે કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહેવું જોઈએ કે આ વખતે આ મામલો અન્ય કોઈ બેન્ચ સમક્ષ જવો જોઈએ. તેની પર ચીફ જસ્ટિસે કહ્યું કે, આવો આદેશ આપવો યોગ્ય નથી. અમને ખાતરી છે કે એ જ ન્યાયાધીશ આ મામલે ફરીથી સુનાવણી કરવા નહીં ઈચ્છે.
8 લોકોના થયા હતા મોત
3 ઓક્ટોબર 2021ના રોજ લખીમપુરના તિકુનિયામાં હિંસામાં 8 લોકો માર્યા ગયા હતા. આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુએ પોતાની જીપ દ્વારા ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ કેસમાં ઉત્તરપ્રદેશ એસઆઈટીએ 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. SITએ મુખ્ય આરોપી તરીકે આશિષ મિશ્રાને નામ આપ્યું હતું. એટલું જ નહીં, SITના જણાવ્યાં અનુસાર આશિષ ઘટનાસ્થળે હાજર હતો. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતાં.
પીડિત પરિવારના લોકો જામીન સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. ત્યાર બાદ ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.