સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફક્ત ગુનાહિત કેસ સંબંધિત માહિતી છુપાવવા અથવા ખોટી જાણકારી આપવાનો અર્થ એવો નથી કે, નોકરીદાતા મનમાની રીતે કર્મચારીને સેવામાં હટાવી શકે છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો
ગુનાહિત કેસની વિગતો છુપાવવાને લઈને કોઈને નોકરીમાંથી કાઢી શકાય નહીં
કોર્ટે આ કેસમાં કહી વાત
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફક્ત ગુનાહિત કેસ સંબંધિત માહિતી છુપાવવા અથવા ખોટી જાણકારી આપવાનો અર્થ એવો નથી કે, નોકરીદાતા મનમાની રીતે કર્મચારીને સેવામાં હટાવી શકે છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સંજીવ ખન્નાની પીઠે કહ્યું કે, આ તથ્યની પરવા કર્યા વગર કોઈને પણ દોષ સિદ્ધ થયા વગર, ફક્ત તથ્યો છુપાવવા અથવા ખોટી જાણકારી પર એક ઝાટકે નોકરીમાંથી હટાવી શકાય નહીં.
કોર્ટે કહી આ વાત
પીઠે કહ્યું કે, આવી સ્થિતિમાં નોકરીદાતાને યોગ્ય નિર્ણય લેતા પહેલા મળેલા તમામ પ્રાંસગિક તથ્યો અને પરિસ્થિતિઓ પર વિચાર કરવો જોઈએ. સાથે જ પ્રાંસગિક સેવા નિયમોને ધ્યાનમાં રાખતા કોઈ પણ પરિણામ પર પહોંચવું જોઈએ.
દિલ્હી હાઈકોર્ટના ચુકાદોને પડકાર મળ્યો
વડી અદાલતે અવતાર સિંહ વિરુદ્ધ ભારત સંઘ મામલે 2014માં આપેલા ચુકાદા પર વિશ્વાસ કરતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ પવન કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને સ્વિકાર કરી લીધી છે. હાઈકોર્ટે ગુનાહિત કેસની વિગતોનો ખુલાસો નહીં કરવા પર રેલ્વે સુરક્ષા દળના એક કોન્સ્ટેબલને હટાવાના આદેશને મંજૂરી આપી દીધી હતી.
અરજી બાદ નોંધાઈ ફરિયાદ
વડી અદાલતે જાણ્યુિં કે, આ કેસમાં એફઆઈઆર અરજી જમા કર્યા બાદ નોંધાઈ હતી.. પીઠે કહ્યું કે, અમે ગુનાહિત કેસમાં લગાવવામા આવ્યા હતા અને આરોપોની પ્રકૃતિને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ગુનો મામૂલી હતો, જેમાં નૈતિક અધમતા સામેલ નહોતી.