આ પહેલાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં સર્વોચ્ચ અદાલતમાં અનેક અરજી દાખલ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ પણ સુનાવણી થઈ નથી. હાલમાં પણ સુનાવણીને લઈને CJIએ કહ્યું કે દેશ હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હિંસા બંધ થશે પછી જ સુનાવણી કરવામાં આવશે.
CAAના સમર્થનમાં SCમાં અરજી
મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશઃ CJI
હિંસા રોકાયા બાદ જ થશે સુનાવણી :SC
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે CAAને કાયદો બનાવવાને લઈને એક એરજી કરવામાં આવી. આ સમયે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કડક શબ્દોમાં ટિપ્પણી કરી અને અને કહ્યું કે દેશ હાલમાં ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એ સમયે આ પ્રકારની અરજી દાખલ કરવાથી કોઈ ફાયદો થશે નહીં.
મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશઃ CJI
ગુરુવારે સુનાવણી સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે દેશ હાલમાં ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયે કોઈનું પણ ધ્યાન શાંતિ સ્થાપિત કરવાનું હોવું જોઈએ. આ પ્રકારની અરજીઓથી કોઈ મદદ મળશે નહીં. આ કાયદાને બંધારણીય કરવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
હિંસા રોકાયા બાદ જ થશે સુનાવણી :SC
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહેવાયું છે કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં જે પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે તેની સુનાવણી પણ ત્યારે જ શરૂ થશે જ્યારે હિંસા સંપૂર્ણ રીતે રોકાશે. વકીલ વિનિત ઢાંડાની તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે CAAને બંધારણીય જાહેર કરવામાં આવે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે કરી હતી.
Supreme Court to lawyer Vineet Dhanda who filed plea seeking strict legal action against 'those disturbing peace and harmony over Citizenship Amendment Act' : Country is going through a critical time, the endeavour must be to bring peace and such petitions don’t help. pic.twitter.com/R8ymEIBDcT
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા લગાવવામાં આવેલા આ કાયદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પહેલાંથી જ ડઝનથી વધુ અરજીઓ દાખલ થઈ ચૂકી છે. AIMIM પ્રમુખ ઓવૈસી, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા સહિત અનેક નેતાઓ, સંગઠનોએ સર્વોચ્ચ અદાલતમાં સીએએને ગેરબંધારણીય જાહેર કરવાની અપીલ કરી હતી. દરેક અરજીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી હતી અને સરકારનો પક્ષ માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતની તરફથી કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.
કાયદાની વિરોધમાં સતત થઈ રહ્યો છે વિરોધ
નાગરિકતા સંશોધન કાયદાને આધારે બાંગ્લાદેશ - પાકિસ્તાન- અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, જૈન, શિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. વિપક્ષ સહિત અનેક સંગઠનો આ કાયદાને સંવિધાન વિરોધી, અલ્પસંખ્યક વિરોધી ગણાવી રહ્યા છે. આ કાયદાની વિરુદ્ધમાં છેલ્લા અનેક દિવસોથી અનેક દેશમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આ સમયે થયેલી હિંસામાં 20થી વધુ લોકોના મોત પણ થયા છે.