મહારાષ્ટ્રમાં ચાલી રહેલા શિવસેનાના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
આ મામલે કોર્ટે કર્યો મોટો નિર્ણય
પાંચ જજોની સંવિધાન પીઠને આ મામલો સોંપ્યો
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા શિવસેનાના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાને 5 જજોની સંવિધાન પીઠને સોંપી દીધો છે. આ મામલામાં શુક્રવારે આગામી સુનાવણી થશે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની વચ્ચે ચાલી રહેલ પાર્ટી સિમ્બોલની લડાઈમાં હવે નિર્ણય સંવિધાન પીઠ કરશે. તો વળી નક્કી કરશે કે આ મામલામાં ચૂંટણી પંચને પોતાની સુનાવણી ચાલુ રાખવી જોઈએ કે, નહીં. આપને જણાવી દઈએ કે, ચૂંટણી પંચ પણ આ મામલે સુનાવણી કરી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીજેઆઈની સંવિધાન પીઠ નક્કી કરશે કે શું સ્પિકર વિરુદ્ધ પ્રસ્તાવ લંબાયેલો હોય તો, અયોગ્યતા પર સુનાવણી કરી શકે. આ દરમિયાન સદનની કાર્યવાહી કેવી રીતે ચાલે. સીજેઆઈએ સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈ પાર્ટીના આંતરિક લોકતંત્ર અને તેમાં ચૂંટણી પંચની શું ભૂમિકા હોવી જોઈએ. સંવિધાન પીઠ નક્કી કરશે. CJIએ કહ્યું કે, ચૂંટણી ચિન્હને લઈને ચૂંટણી પંચ નિર્ણય કરશે, જો કે આગામી સુનાવણી સુધી આ મામલામાં ચૂંટણી પંચ પોતાની પ્રતિક્રિયા રોકી રાખશે.
શું છે આખો મામલો
અયોગ્યતાની કાર્યવાહીને લઈને એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. એકનાથ શિંદે જૂથ તરફથી શિવસેના પર અધિકારનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. આ મામલામાં કોર્ટ સુનાવણી કરી રહ્યું છે. શિંદે જૂથના વકીલે મામલા પર સંવિધાનની પીઠ બનાવીને સુનાવણી કરવાની માગ રાખી હતી.