સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ''કોરોના વાયરસના લૉકડાઇન દરમિયાન દારૂની હોમ ડિલિવરી થવી જોઇએ.'' આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, અમે આદેશ નહી આપીએ પરંતુ આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ''સરકાર સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન કરીને હોમ ડિલિવરી કરવાને અંગે વિચાર કરે.''
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી PIL માં કહેવામાં આવ્યુ કે, કોરોના મહામારીને કારણે લૉકડાઉન રાખવામાં આવ્યુ છે. બિમારીના સંક્રમણથી બચવા માટે સોશ્યલ ડિસ્ટેન્સિંગ જરૂરી છે. પરંતુ લૉકડાઉનમાં દારૂના વેચાણમાં પરવાનગી મળી અને સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન ના થયું. સંક્રમણ રોકવા માટે સોશ્યલ ડિસ્ટેન્સિંગ જરૂરી છે. એવામાં સરકારે આદેશ આપવો જોઇએ કે, દારૂનું વેચાણ દુકાન પર નહી પરંતુ તેના માટે હોમ ડિલિવરીની વ્યવસ્થા હોવી જોઇએ.
યાચિકાકાર્તાએ કહ્યુ કે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઇ રહ્યુ. શરાબની દુકાનો માટે જેણે પરવાનગી મળી છે તેની સંખ્યા ઓછી છે અને ખરીદી કરનારા ઘણા છે. ત્યારે સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે, ''હોમ ડિલિવરીને લઇને સતત વિચારો કરવામાં આવી રહ્યા છે.'' તો યાચિકાકાર્તાના વકીલે કહ્યુ કે, ''અમે સામાન્ય જનતાની જીવનની રક્ષા કરવા ઇચ્છીએ છીએ અને અમે ઇચ્છીએ છીએ કે, દારૂની દુકાનોની બહાર ભીડ ના થાય અને તેના પર લગામ લાગે. આ માટે હોમ મિનિસ્ટ્રી સ્પષ્ટીકરણ જારી કરે અને તેનું રાજ્યમાં પાલન થાય.''
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે , '' આ મામલામાં અમે આદેશ નહી આપી શકીએ. પરંતુ રાજ્ય સરકાર ઇચ્છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે દારૂના વેચાણ તથા હોમ ડિલિવરી પર વિચાર કરી શકે છે.''
ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન પહેલા બે તબક્કામાં દારૂની દુકાન બંધ રાખવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણેય ઝોનમાં શરતો સાથે આલ્કોહોલના વેચાણની મંજૂરી આપવામાં આવી છે. જો જેના કારણે દારૂ ખરીદનારા લોકોની લાંબી લાઇનો થઇ જતા સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઇ રહ્યુ. દિલ્હી, બેંગલુરુ સહિત અન્ય રાજ્યમાં દારૂની દુકાન પર લોકોની બે લાંબી લાઈન જોવા મળી હતી.