લગ્નમાં આપવામાં આવેલા આભૂષણો અને અન્ય સંપત્તિને ઓછામાં ઓછા 7 વર્ષ સુધી મહિલાના નામે રાખવાની અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી.
જો વિધિ આયોગ આ મુદ્દા પર તમામ દ્રષ્ટિકોણો હેઠળ વિચાર કરે છે તો તે યોગ્ય રહેશે- SC
...ગંભીરતાથી વિચાર કરવામાં આવે- એસસી
લગ્નમાં અપાયેલા આભૂષણો અને અન્ય સંપત્તિને ઓછામાં ઓછા 7 વર્ષ સુધી મહિલાના નામ પર રહેશે
જો વિધિ આયોગ આ મુદ્દા પર તમામ દ્રષ્ટિકોણો હેઠળ વિચાર કરે છે તો તે યોગ્ય રહેશે- SC
સુપ્રીમ કોર્ટે દહેજના સામાજિક દુષણને રોકાવા માટે પાકા નિર્દેશની માંગવાળી એક રીટ અરજી પર સુનવણી કરતા કહ્યું કે જો વિધિ આયોગ આ મુદ્દા પર પોતાના તમામ દ્રષ્ટિકોણો હેઠળ વિચાર કરે છે તો તે યોગ્ય રહેશે. કોર્ટે અરજદારોને વિધિ આયોગને તમામ પ્રાસંગિક પાસાઓ પર શોધની એક નોટ પ્રસ્તુત કરવાની સ્વતંત્રતા એટલે કે છુટ પુરી કરતા રિટની અરજીનો નિવેડો લાવ્યા છે.
...ગંભીરતાથી વિચાર કરવામાં આવે- એસસી
જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની પીઠે કહ્યું કે આમાં કોઈ શંકા નથી કે દહેજ એક સામાજિક દુષણ છે. લગ્નમાં આપવામાં આવેલા આભૂષણો અને અન્ય સંપત્તિને ઓછામાં ઓછા 7 વર્ષ સુધી મહિલાના નામ પર રાખવાની પ્રાર્થના ઘણી હદ સુધી માન્ય છે અને ધારાસભા આના પર બહું ગંભીરતાથી વિચાર કરશે. દૈનિક હિન્દુસ્તાનમાં પ્રકાશિત સમાચાર મુજબ આ સુનવણી દરમિયાન વધુ એક સંવિધાનિક આયોગ બનાવવાની માંગ કરવામાં આવી છે.
અરજીમાં બીજું શું છે?
ઉલ્લેખનીય છે કે આ અરજીમાં એક પૂર્વ વિવાહ પાઠ્યક્રમ આયોગના ગઠનની વાત કરવામાં આવી છે. જેમાં કાયદા વિશેષજ્ઞ, શિક્ષાવિદ, મનોવૈજ્ઞાનિક, સેક્સોલોજિસ્ટ સામેલ કરવાની ભલામણ છે. જેથી વિવાહ સંસ્કાર એટલે કે લગ્નની પહેલા દરેક વ્યક્તિ વિવાહ કાઉન્સિલિંગથી પસાર થાય અને આ પાઠ્યક્રમને વિવાહ રજીસ્ટ્રેશન માટે અનિવાર્ય કરવામાં આવે.