સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને ઐતિહાસિક સબરીમાલા મંદિરના પ્રવેશ અને સંભાળને લઈને એક વિશેષ કાયદો બનાવવા કહ્યું છે. જસ્ટિસ એનવી રમણાની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં રાજ્ય સરકારને જાન્યુઆરીના 3જા અઠવાડિયામાં નિર્ણય આપવા કહેવામાં આવ્યું છે. જેમાં ત્યાં આવનારા શ્રદ્ધાળુઓના કલ્યાણ માટે દરેક પાસા પર વિચાર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મંદિર પ્રવેશની સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરતાં આ નિર્દેશ આપ્યો હતો.
કેરળ સરકારે કહ્યું કે જો મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવવામાં આવે છે તો ફક્ત 50 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને સમિતિમાં સામેલ કરવામાં આવશે. આ માટે જસ્ટિસ બીઆર ગવઈએ ટિપ્પણી કરી કે 10-50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને રદ કરવાને માટે સપ્ટેમ્બર 2018નો નિર્ણય બરોબર હતો. નવો કાયદો બનાવવાને માટે મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને આપવામાં આવેલા આદેશનો કોઈ સંબંધ નથી કારણ કે આ વિવાદ મંદિરના પ્રશાસન અને પ્રવેશની સાથે જોડાયેલો છે.
કોર્ટે પહેલા પણ કેરળ સરકારને આપ્યો હતો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2018માં પણ કેરળ સરકારને સબરીમાલા મંદિરને લઇને નવો કાયદો લાવવા કહ્યું હતું પરંતુ રાજ્ય સરકારે ત્રાવણકોર-કોચીન રિલીજીયસ ઇન્સ્ટિટ્યૂશન એક્ટનો ડ્રાફ્ટ રજૂ કર્યો. કાયદાના ડ્રાફ્ટમાં મંદિરોની સલાહકાર સમિતિમાં એક તૃતિયાંશ પ્રતિનિધિત્વ મહિલાઓને આપવાનો પણ પ્રસ્તાવ છે. જો કે રાજ્ય સરકાર સબરીમાલા અને બાકીના મંદિરો માટે સંયુક્ત રૂપે કાયદો લાવવા માગતી હતી. બુધવારે કોર્ટે નવા નિર્દેશ જાહેર કરવાની સાથે આ મામલાની સુનવણી જાન્યુઆરી 2020ના ત્રીજા અઠવાડિયા સુધી ટાળી દીધી હતી.
ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટમાં 65 અરજી દાખલ
સુપ્રીમ કોર્ટમાં કુલ 65 અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે સબરીમાલામાં સ્થિત દેવ પ્રતિમા બ્રહ્મચારી સ્વરૂપ છે અને 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ આપીને સદીઓ જૂના વિશ્વાસને તોડવો ન જોઇએ. કુલ 65 અરજીમાં 56 પુનરીક્ષણ અરજી, 4 નવી રીટ અરજીઓ અને 5 ટ્રાન્સફર અરજીઓ સામેલ છે.