સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચને કહ્યું કે ગુનાકીય રેકોર્ડ ધરાવતા વ્યક્તિઓને ટિકિટ આપવાથી રાજનૈતિક પાર્ટીઓને રોકવા માટે રજુ કરાયેલ અહેવાલ પર યોગ્ય આદેશ પસાર કરે. ચીફ જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ બી આર ગવઇની પીઠે ભાજપ નેતા અને એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયની જાહેર હિતની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા આ આદેશ આપ્યો.
સુપ્રીમ કોર્ટે અશ્વિની કુમાર ઉપાધ્યાયની જાહેર હિતની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટેની પીઠે આદેશમાં કહ્યું, EC અરજીકર્તાના અહેવાલ પર ત્રણ મહીનાની અંદર આદેશ આપે
અશ્વિની કુમારનો આરોપ, ચૂંટણી પંચે કોઇ કાર્યવાહી ન કરી અને આ કારણે અરજી દાખલ કરી
ઉપાધ્યાયે અરજીમાં ચૂંટણી પંચને એવી વ્યવસ્થા કરવા નિર્દેશ આપવા અનુરોધ કર્યો હતો. જેથી રાજનૈતિક પાર્ટીઓને ગુનાકીય પુષ્ઠભૂમિ વાળી વ્યક્તિઓને ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર બનાવવાથી રોકવામાં આવી શકાય. પીઠે પોતાના આદેશમાં કહ્યું કે, અમે ચૂંટણી પંચને નિર્દેશ આપીએ છીએ કે તે અરજીકર્તા (ઉપાધ્યાય)ના 22 જાન્યુઆરી 2019ના અહેવાલ પર ત્રણ મહીનાની અંદર વિચાર કરે અને આ સંબંધમાં વિસ્તૃત આદેશ પસાર કરે.
સુપ્રીમ કોર્ટે આ પ્રકારની અન્ય એક જાહેર હિતની અરજીનો 21 જાન્યુઆરીએ નિકાલ કરતા અરજીકર્તાને ચૂંટણી પંચ સમક્ષ અહેવાલ આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ચૂંટણી પંચને કહ્યું હતું કે આ વિશે યોગ્ય પગલા ઉઠાવવા માટે અરજીને જ અહેવાલ માનવામાં આવે.
અશ્વિની કુમાર ઉપાધ્યાયએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચે કોઇ કાર્યવાહી કરી નહીં અને આ કારણે તેઓને નવી અરજી દાખલ કરવી પડી. તેઓએ અરજીમાં ચૂંટણી પંચને એ નિર્દેશ આપવાનો પણ અનુરોધ કર્યો હતો કે તે રાજનૈતિક પાર્ટીઓને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓને ઉમેદવાર બનાવવાથી રોકે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ ( ADR ) દ્વારા પ્રકાશિત આંકડાઓ અનુસાર ભારતમાં રાજનીતિમાં ગુનાખોરીમાં વૃદ્ધિ થઇ છે અને 24 ટકા સાંસદોની વિરુદ્ધ ગુનાના મામલા નોંધાયેલા છે.