સુપ્રીમ કોર્ટે મરાઠા કોટા મામલામાં સુનવણી દરમિયાન શુક્રવારે જાણવા માંગ્યુ કે કેટલી પેઢી સુધી અનામત જારી રહેશે.
કોટાનો સમય નક્કી કરવા પુનવિચાર કરવાની જરુર
અનામત કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવી જોઈએ
શું કોઈ વિકાસ નથી થયો કોઈ પછાત જાતિ આગળ નથી વધી?
કોટાનો સમય નક્કી કરવા પુનવિચાર કરવાની જરુર
સુપ્રીમ કોર્ટે 50 ટકાની સીમા હટાવવાની સ્થિતિમા ઉભી થનારી અસમાનતાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્ર સરકાર તરફથી રજુ થયેલા સિનિયર લોયર મુકુલ રોહતગીએ જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી 5 ન્યાયાધીશોની સંવિધાનિક ખંડણીપીઠને કહ્યું કે કોટાનો સમય નક્કી કરવા માટે મંડળ મામલામાં નિર્ણય પર ફેરફાર થયેલી પરિસ્થિતિ પર પુનવિચાર કરવાની જરુર છે.
અનામત કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવી જોઈએ
રોહતગીએ કહ્યું કે કોર્ટને બદલાયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અનામત કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવી જોઈએ અને મંડળ મામલાથી સંબંધિત નિર્ણય 1931ની વસ્તી ગણતરીના આધાર પર હતી. મરાઠા સમુદાયે અનામત પ્રદાન કરનારા મહારાષ્ટ્રના કાયદાના પક્ષમાં દલીલ આપતા રોહતગીએ મંડળ મામલામાં નિર્ણયના વિભિન્ન પાસાઓનો સંદર્ભ ટાક્યો. આ નિર્ણયને ઈંદિરા સાહની મામલાના રુપમાં પણ ઓળખવામાં આવે છે.
ત્યાર સમાનતાની શું મહત્વ રહેશે- કોર્ટ
તેમણે કહ્યું કે આર્થિક રુપે નબળા લોકોને 10 ટકા અનામત આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય પણ 50 ટકાના સીમાનું ઉલંઘન કરે છે. આના પર પીઠે ટિપ્પણી કરી કે જો 50 ટકાની સીમા અથવા કોઈ સીમા નથી રહેતી. જેમ કે તમે સૂચવ્યુ છે ત્યારે સમાનતાનું શુ મહત્વ રહેશે. આખરે આનાથી પહોંચી વળવુ પડશે. તેના પર તમારુ શુ કહેવું છે. આનાથી ઉભી થનારી અસમાનતા વિશે શું કહેવા ઈચ્છો છો. તમને કેટલી પેઢી સુધી આને ચાલૂ રાખશો,
શું કોઈ વિકાસ નથી થયો કોઈ પછાત જાતિ આગળ નથી વધી?
રોહતગીએ કહ્યું કે મંડળના નિર્ણય પર પુર્નવિચાર કરવાના અનેક કારણો છે. જે 1931માં વસ્તી આધારિત હતી. સાથે વસ્તી અનેક ગણી વધી 135 કરોડે પહોંચી ગઈ છે. પીઠે કહ્યું કે દેશની આઝાદીને 70 વર્ષ વિતી ચુક્યા છે અને રાજ્ય સરકારે અનેક સારી કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે તથા શું આપણે સ્વીકાર કરી શકીએ કે કોઈ વિકાસ નથી થયો કોઈ પછાત જાતિ આગળ નથી વધી.
પછાત લોકોની પણ સંખ્યા વધી છે.
ન્યાયાલયે એમ પણ કહ્યું કે મંડળ સાથે જોડાયેલા નિર્ણયની સમીક્ષા કરવાનો હેતુ છે કે જે પછાતપણામાંથી બહાર નિકળી ગયા છે . તેમને અનામતના દાયરામાંથી બહાર કરી દેવામાં આવે. જેના પર રોહતગીએ દલીલ કરી કે, હા અમે આગળ વધીશું પરંતુ એવું નથી કે પછાત વર્ગની સંખ્યા 50ટકાથી ઘટીને 20 ટકા થઈ ગઈ છે. દેશમાં હજુ પણ ભૂખથી મરી રહ્યા છે લોકો. હું એમ નથી કહી રહ્યો કે ઈન્દિરા સાહની મામલામાં નિર્ણય પુરી રીતે ખોટો હતો અથવા તેને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે. હું કહી રહ્યો છું કે 30 વર્ષ થયા કાયદો બદલાયો છે. વસ્તી વધી છે . પછાત લોકોની પણ સંખ્યા વધી છે.
અનેક રાજ્યોમાં અનામતની સીમા 50 ટકાથી વધારે છે
તેમણે કહ્યું કે તેવામાં અનેક રાજ્યોમાં અનામતની સીમા 50 ટકાથી વધારે છે. ત્યારે એમ ન કહી શકાય કે આ સળગતો મુદ્દો નથી. 30 વર્ષ બાદ આના પર પુનઃ વિચાર કરવાની જરુર નથી. મામલામાં ચર્ચા પરિણામ વિહોણી રહી. સોમવારે પણ દલીલ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટના એ ચુકાદાને પડકારવામાં આવ્યો છે. જેમાં રાજ્યના શૈક્ષણિક સંસ્થાનોમાં દાખલા અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને અનામતને કાયમ રાખવામાં આવ્યું હતુ.