સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગ પાસે અરૂણ ગોયલની નિમણૂક વાળી ફાઇલ માંગી છે. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે ગુરુવારે અરૂણ ગોયલની નિમણૂકની પ્રક્રિયા વાળી ફાઇલને કોર્ટમાં જમા કરે.
ચૂંટણી કમિશનરની નિમણૂક પર SCનો આદેશ
અરૂણ ગોયલની નિમણૂક ફાઇલ માંગી
ચૂંટણી આયોગ પર ઉઠ્યા વધુ સવાલો
ઉચ્ચ ન્યાયલયે અરૂણ ગોયણની નિમણૂકવાળી ફાઇલ ચૂંટણી આયોગથી માંગી છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ચૂંટણી આયોગ પર સૌથી વધુ સવાલો ઊઠી રહ્યાં છે. થોડાં દિવસોથી ચૂંટણી આયોગની નિમણૂક પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટ સવાલો કરી જ રહી છે. જસ્ટિસ કે.એમ.જોસેફની બેન્ચની બેન્ચે કહ્યું હતું કે જે ચૂંટણી આયોગની નિમણૂક સરકાર દ્વારા થતી હોય તે કેવી રીતે પીએમની વિરૂદ્ધમાં કોઇ એક્શન લઇ શકે? આ સાથે જ બેન્ચે ચૂંટણી આયોગના સદસ્યો માટે કોલેજિયમ વ્યવસ્થા બનાવવાની પણ વાત કરી હતી.
કોર્ટની બેન્ચે આપ્યાં આદેશ
સુપ્રીમ કોર્ટની બંધારણિય બેન્ચે કહ્યું કે તે અરૂણ ગોયલની નિમણૂકવાળી ફાઇલને જોવા ઇચ્છે છે. અરૂણ ગોયલની નિમણૂક મંગળવારે કરવામાં આવી છે. ચૂંટણી આયોગની નિમણૂક માટેની સ્વતંત્ર પ્રક્રિયા માટેની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકારે ફાઇલ માંગી છે. કોર્ટે કહ્યું કે એ જ યોગ્ય હોત જો આ સમયે નિમણૂક કરવામાં ન આવી હોત જ્યારે આ મુદે જ સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.
પ્રશાંત ભૂષણે ઉઠાવ્યાં સવાલો
બેન્ચનાં અર્ટોની જનરલે કહ્યું કે ગુરૂવારે ફાઇલ કોર્ટમાં રજૂ કરો. એડવોકેટ પ્રશાંત ભૂષણે અરૂણ ગોયલની નિમણૂક પર પ્રશ્નો ઉઠાવતાં કહ્યું કે તેમને ગુરૂવારે વી.આર.એસ મળ્યો હતાં અને સોમવારે ચૂંટણી કમિશનરના રૂપે નિમણૂક કરી દેવાઇ છે.
VRSની ત્રણ દિવસમાં કઇ રીતે નિમણૂક થઇ?
પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું કે અરૂણ ગોયલને વીઆરએસ આપ્યા બાદ અપોઇન્ટનમેન્ટ મળ્યું છે. ચૂંટણી કમિશનરનાં રૂપે જેમને પણ જવાબદારી મલે છે તે રિટાયર્ડ કર્મચારી હોય છે. પરંતુ તે સરકારમાં સચિવનાં પદ પર હતાં. ગુરૂવારે ચૂંટણી કમિશનરની નિમણૂકનાં મુદા પર કોર્ટમાં વિવાદ શરૂ થયો હતો તો એ વચ્ચે ગોયલને વીઆરએસ મળી ગયો. ભૂષણે કહ્યું કે આ પદ પર મે મહિનાથી ખાલી છે પરંતુ આ બાબત પર ત્યારે એક્શન લેવામાં ન આવ્યું અને અચાનક એક જ દિવસમાં નિમણૂક થઇ ગઇ.
સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ જોસેફે પ્રશાંત ભૂષણનાં તર્ક પર કહ્યું કે કોઇ પણ કર્મચારીને વીઆરએસ માટે 3 મહિના પહેલા નોટિસ આપવાની હોય છે. તેના પર ભૂષણે કહ્યું કે અમને શંકા છે કે તેમને સામાન્ય રીતે વીઆરએસ દેવામાં આવ્યું છે કે નહીં. તેથી જ કોર્ટને તેમની નિમણૂક સંબંધી ફાઇલ જરૂરથી જોવી જોઇએ. તો અટોર્ની જનરલ આર.વેંકટરમને પ્રશાંત ભૂષણનાં તર્કનો વિરોધ કરતાં કહ્યું કે એવી કોઇ વાત નથી. અરૂણ ગોયલની નિમણૂક સામાન્ય રૂપે જ કરવામાં આવી છે. તેના પર જસ્ટિસ જોસેફે કહ્યું કે અમે તો તમારા પાસે આવતી કાલે ફાઇલ રજૂ કરવા માટે કહી રહ્યાં છીએ.