સુપ્રીમ કોર્ટે બુલંદશહેર સ્થિત સર્વમંગલા બેલા ભવાની મંદિર મામલામાં યૂપી સરકારને ફટકાર લગાવી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે રાજ્યમાં મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે કોઇ કાનૂન કેમ નથી? કોર્ટે આદેશ આપ્યો કે યોગી સરકાર આ સંબંધમાં કાનૂન બનાવવા પર વિચાર કરે.
બુલંદશહેર સ્થિત સર્વમંગલા બેલા ભવાની મંદિર મામલામાં યૂપી સરકારને ફટકાર
સુપ્રીમ કોર્ટે બુલંદશહેર સ્થિત એક મંદિર મામલામાં યૂપી સરકારને ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે કહ્યું- રાજ્યમાં મંદિરોને નિયંત્રિત કરવા માટે કોઇ કાનૂન કેમ નથી?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ હેઠળ સરકાર ગેરવહીવટના આરોપો પર મંદિર અને ધાર્મિક સંસ્થાનું મેનેજમેન્ટ પોતાના અધિકાર ક્ષેત્રમાં લઇ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે કેન્દ્ર સરકારનો કાનૂન છે અને અન્ય રાજ્યોમાં પોતાને ત્યાં મંદિરોનો વહીવટ કરવા માટે મંદિર બોર્ડ બનાવાયા છે તો યુપીની પાસે યોગ્ય કાનૂન કેમ નથી?
સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે યુપી સરકાર 6 સપ્તાહમાં જવાબ આપે કે તે આ સંબંધમાં કાનૂન લાવી રહ્યા છે. નોંધનીય છે કે, યુપીના અધિક મુખ્ય સચિવ સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં જંગલરાજ ચાલી રહ્યું છે, અહીં કોઇ કાનૂન નથી.
આ આખો મામલો ઉત્તરપ્રદેશના બુલંદશહેરના લગભગ 300 વર્ષ જુના શ્રી સર્વમંગલા દેવી બેલા ભવાની મંદિરના વહીવટ સાથે જોડાયેલો છે. ગત સુનાવણીમાં કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારના વકીલને પૂછ્યું હતું કે રાજ્યમાં શું કોઇ ટ્રસ્ટ છે? શું ત્યાં મંદિર અને દાનન લઇને કોઇ કાનૂન છે? તેના પર વકીલે કહ્યું હતું કે, તેમને આ વિશે કોઇ જાણકારી નથી. ત્યારે પીઠે તેના પર નારાજગી દર્શાવી હતી.