ગુજરાત હાઈકોર્ટના ત્રણ નવા ન્યાયાધીશો માટેની નિયુક્તિ માટે ભલામણ કરવામાં આવી છે. જેમાં રાજ્યના ત્રણ ઍડવોકેટ્સની જજ તરીકે પસંદગી કરવાની ભલામણને મંજૂર કરાઈ છે.
રાજ્યના ત્રણ ઍડવોકેટ્સની જજ તરીકે પસંદગી કરવાની ભલામણ મંજૂર
ગુજરાતના ત્રણ ઍડવોકેટ્સની ન્યાયાધીશ તરીકે નિયુક્તિ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમની મીટિંગની 14 ઓગસ્ટ 2020ના રોજ મીટિંગ મળી હતી
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગુજરાતના ત્રણ ઍડવોકેટ્સની ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ પર મહોર મરાઈ છે. જેમાં 1. વૈભવી દેવાંગ નાણાવટી, 2. નિર્ઝરકુમાર એસ દેસાઈ અને 3. નિખિલ એસ. કરીયલનો સમાવેશે થાય છે.
મહત્વનું છે કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની મીટિંગની 14 ઓગસ્ટ 2020ના રોજ મીટિંગ મળી હતી જેમાં કોલિજિયમ દ્વારા આ ઍડવોકેટ્સની જજ તરીકે નિયુક્તિ માટે મહોર મારવામાં આવી હતી.