પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાનના કરક જિલ્લામાં આવેલા એક હિન્દુ મંદિરમાં બુધવારે અગ્નિની સાથે તોડફોડ કરવામાં આવી હતી. આ માટે ઇમરાન ખાન સરકારની ટીકા થઈ રહી છે. ઈમરાન ખાન ભારતમાં લઘુમતીઓને લઈને મોદી સરકારની આલોચના કરે છે અને પાકિસ્તાનમાં લઘુમતીઓને સમાન અધિકાર આપવાની વાત કરે છે. પરંતુ તેમની સરકારમાં લઘુમતીઓ ઇસ્લામિક કટ્ટરવાદીઓનું નિશાન છે.
પાકિસ્તાનમાં હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો
વિડીયો વાયરલ થયા બાદ પાકિસ્તાન હાઇકોર્ટે લીધું સંજ્ઞાન
મંદિરમાં લાગેલી આગ અને તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકો પૂછવા લાગ્યા કે શું આ ઇમરાન ખાનનો નવો પાકિસ્તાન છે. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, આ કેસમાં હજી સુધી 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જમિઆત ઉલેમા-એ-ઇસ્લામના સ્થાનિક નેતા રહીમત ખટકના નામ સહિત કુલ 350 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
Pakistan supreme court takes notice of burning of shrine of Hindu saint; matter to be taken up on 5th January. pic.twitter.com/ycVDyAibdq
આ બેઠકમાં રમેશકુમારે સમગ્ર મામલે સીજેપી સમક્ષ પોતાનો પક્ષ રજુ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનાની નિંદા કરી છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો મંદિરની દિવાલ અને છતને તોડતા દેખાઇ રહ્યા છે. ત્યારે, મંદિર પર ટોળાએ એવી રીતે હુમલો કર્યો કે તેને સમગ્ર રીતે નસ્તેનાબૂદ કરી દીધું છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં મંદિરને નુકસાન પહોંચાડવાની આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ પાકિસ્તાનમાં મંદિરો પર હુમલા થતા રહ્યા છે.
મૂકદર્શક બન્યું રહ્યું સ્થાનિક તંત્ર
વૉયર ઑફ પાકિસ્તાન માઇનૉરિટી નામના એક ટ્વિટર હેન્ડલથી પણ એક વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો છે, જેમાં મંદિરને તોડતા લોકોને સ્પષ્ટ જોઇ શકાય છે. પાકિસ્તાનના એક પત્રકારે જણાવ્યા અનુસાર, હિંદુઓએ મંદિરનો વિસ્તાર કરવા માટે તંત્ર પાસેથી મંજૂરી લીધી હતી, પરંતુ સ્થાનિક મોલવીઓએ મંદિરને નષ્ટ કરવા માટે એક ટોળાની વ્યવસ્થા કરી. એમ પણ કહેવાય રહ્યું છે કે, સ્થાનિક તંત્ર અને પોલીસના અધિકારી મૂક દર્શક બન્યા રહ્યા કારણ કે મંદિર જમીન નીચે ધ્વંસ થયું હતું.
Mobsters-cum-monsters destroyed #Hindu temple in Karak district of KP in @ImranKhanPTI's Naya Pakistan.
Khan sb, if you want us to feel secure here, then take notice of this barbaric incident, else don't ever claim minorities are safe here & their rights are protected. pic.twitter.com/qpf7F8F55r
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર થઇ રહ્યો હતો મંદિરનો જીર્ણોદ્ધાર
કરક જિલ્લાના તેરી ગામમાં સ્થિત ઐતિહાસિક મંદિર અને પરમહંસ જી મહારાજની સમાધી 2015માં એક સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, જીર્ણોદ્ધાર અને વિસ્તાર કરવામાં આવી રહ્યો હતો. આ મંદિરને આ પહેલા 1997માં એક સ્થાનિક મુફ્તીએ નષ્ટ કરી દીધું હતું અને આના પર ગેરકાયદે કબજો કરી લીધો હતો.
Pakistan’s minority Hindu community members staging protest in front of Supreme Court, #Karachi demanding to take strict action against the persons responsible for desceration of #HinduTemple in #Karak district of KPK. pic.twitter.com/Pugn3W2ALG
— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ راویندرسنگھ روبن (@rsrobin1) December 31, 2020
લોકોએ કહ્યું- આ નવું પાકિસ્તાન
કેટલાક લોકોએ આ ઘટનાને શરમજનક ગણાવી છે, જેની નિંદા કરતા દેશમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં હિન્દુ અલ્પસંખ્યકો પર અત્યાચાર અને જબરદસ્તી ધર્મપરિવર્તનના પણ સમાચાર સતત આવતા રહે છે.