સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિવાદિત જ્ઞાનવાપી સ્થળ પર મળી આવેલા 'શિવલિંગ'ની પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે.
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ
SCએ જ્ઞાનવાપી સ્થળ પર મળી આવેલા 'શિવલિંગ'ની પૂજા કરવાની માંગ પર કર્યો ઇનકાર
આ સાથે સર્વોચ્ચ અદાલતે શિવલિંગની કાર્બન ડેટિંગની સુનાવણીની માંગ પર પણ કર્યો ઈનકાર
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ
કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં આજે બપોરે 2 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, સૂર્યકાંત અને પીએસ નરસિમ્હાની વિશેષ બેંચે મસ્જિદ પરિસરમાં મળેલા શિવલિંગની પૂજા કરવાની પરવાનગી માંગતી નવી અરજીઓ પર પણ સુનાવણી હાથ ધરી હતી.
Supreme Court declines to entertain a plea seeking right to worship the 'Shivling' said to be found at the disputed Gyanvapi site, which is adjacent to the Kashi Vishwanath Temple in Varanasi, Uttar Pradesh.
SCએ જ્ઞાનવાપી સ્થળ પર મળી આવેલા 'શિવલિંગ'ની પૂજા કરવાની માંગ પર કર્યો ઇનકાર
જેમાં સુપ્રમી કોર્ટે ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિવાદિત જ્ઞાનવાપી સ્થળ પર મળી આવેલા 'શિવલિંગ'ની પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. આ સાથે સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદમાં મળી આવેલા શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી પર પણ સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.
Supreme Court also refuses to entertain the plea seeking carbon dating of the Shivling reported to be discovered in the Gyanvapi mosque.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના સમગ્ર મામલાની છેલ્લી સુનાવણી 20 મેના રોજ થઈ હતી. તે દિવસે, સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસને વારાણસીના જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કર્યો હતો. આ આદેશ આપતી વખતે જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચે કહ્યું કે કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને તેને વધુ અનુભવી જજને મોકલવામાં આવી રહ્યો છે. ખંડપીઠે કહ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશે મુસ્લિમ પક્ષની અરજીને પ્રાથમિકતા આપવી જોઈએ, જેમાં હિન્દુ પક્ષનો કેસ સુનાવણી માટે અયોગ્ય હોવાનું કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ કેમ્પસમાં યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો.