25 વર્ષની એક મહિલાને પ્રેગ્નેન્સીના 24માં અઠવાડીયે અબોર્શનની મંજૂરી મળી ગઈ છે. મહિલા અવિવાહિત છે અને તેણે દિલ્હી હાઈકોર્ટ પાસેથી અબોર્શનની પરવાનગી માંગી હતી.
પ્રેગ્નેન્સીના 24 અઠવાડિયા સુધી કરાવી શકાય અબોર્શન
24 અઠવાડિયા બાદ અબોર્શન માટે અમુક મામલામાં જ છૂટ
હાઈકોર્ટે પરવાનગી ન આપતા મહિલાએ સુપ્રિમમાં કરી અરજી
સુપ્રીમ કોર્ટે 25 વર્ષની મહિલાને અબોર્શનની પરવાનગી આપી દીધી છે. મહિલાને 24 અઠવાડિયાનો ગર્ભ છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે મહિલાના અબોર્શન કરવાની પરવાનગીને ફગાવી દીધી હતી. બાદમાં તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલા અવિવાહિત છે. માટે તેને અબોર્શન કરાવવાથી ન રોકી શકાય.
કોર્ટે રિપોર્ટ આપવા માટે કર્યો આદેશ
જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂંડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચે એમ્સ ડાયરેક્ટરને બે ડોક્ટરોની પેનલ બનાવવા અને અબોર્શન સાથે જોડાયેલી રિપોર્ટ એક અઠવાડિયામાં દાખલ કરવાના આદેશ પણ આપ્યા છે.
આ પહેલા 16 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટે મહિલાને અબોર્શન કરવાની પરવાનગી ન હતી આપી. કોર્ટે કહ્યું હતું કે મહિલા સહમતિથી ગર્ભવતી થઈ છે અને ગર્ભ 20 અઠવાડિયાથી પણ વધારેનો થઈ ગયો છે. કાયદાકીય રીતે તેને અબોર્શન માટે અનુમતિ આપવામાં ન આવે.
મહિલાએ હાઈકોર્ટમાં કરી હતી અરજી
25 વર્ષની મહિલાએ હાઈકોર્ટમાં અરજી આપી છે કે તે પોતાના પાર્ટનરની સાથે સહમતિથી રહી હતી. પરંતુ તેણે હવે લગ્ન માટે ઈનકાર કરી દીધો છે. મહિલાએ જણાવ્યું કે તે લગ્ન કર્યા વગર બાળકને જન્મ નથી આપવા માંગતી. કારણ કે તેને ન ફક્ત માનસિક પરંતુ સામાજિક કલંકનો દબાણ પણ ભોગવવો પડી શકે છે. સાથે જ તે હાલ બાળકને જન્મ આપવા માટે માનસિક રીતે તૈયાર નથી.
મહિલાની અરજી પર હાઈકોર્ટે કહ્યું હતું કે મહિલા અવિવાહિત છે અને પોતાની સહમતિથી ગર્ભવતી થઈ છે. માટે તે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી રૂલ્સ 2003 હેઠળ અબોર્શન ન કરાવી શકે. હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે અબોર્શનની પરવાનગી આપવી બાળકના હત્યા કરવા બરાબર હશે.
સુપ્રીમ કોર્ટે આપી પરવાનગી
હાઈકોર્ટથી અરજી ફગાવ્યા બાદ મહિલા સુપ્રીમ કોર્ટ પહોંચી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ ખોટા દ્રષ્ટિકોણ અપનાવી રહી છે. કારણ કે મહિલા અવિવાહિત છે. માટે તેને અબોર્શન કરવાથી રોકી ન શકાય.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, 2021માં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટમાં સંશોધન થયું હતું, જેમાં 'પતિ'ની જગ્યાએ 'પાર્ટનર' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એટલા માટે હતુ કારણ કે 'અપરણિત મહિલાઓ'ને પણ તેના દાયરામાં લાવી શકાય છે.
તો શું ભારતમાં છે અબોર્શનની છૂટ?
ભારતમાં અબોર્શન એટલે કે ગર્ભપાતને 'કાયદાકીય માન્યતા' છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તેની છૂટ મળી ગઈ છે. ભારતમાં અબોર્શનને લઈને 'મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ' છે. જે 1971થી લાગુ છે. તેમાં 2021માં સેશોધન થયું હતું.
ભારતમાં પહેલા અમુક કેસોમાં 20 અઠવાડિયા સુધી અબોર્શન કરવાની પરવાનગી મળતી હતી. પરંતુ 2021માં આ કાયદાના સંશોધન બાદ આ સમય મર્યાદા વધારીને 24 અઠવાડિયા કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, અમુક ખાસ કેસમાં 24 અઠવાડિયા બાદ પણ અબોર્શનની પરવાનગી મળી શકે છે. ભારતમાં અબોર્શનને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવ્યું છે.
પ્રેગ્નેન્સીના 0થી 20 અઠવાડિયા સુધી
પ્રેગ્નેન્સીના 20થી 24 અઠવાડિયા સુધી
પ્રેગ્નેન્સીના 24 અઠવાડિયા બાદ
લિંગના આધાર પર ન કરાવી શકાય અબોર્શન
ભારતમાં અબોર્શનને લઈને કાયદા જરૂર છે. પરંતુ લિંગની તપાસ બાદ આમ કરવું કાયદાકીય અપરાધ છે અને આમ કરવા પર સજા થઈ શકે છે.