સાસંદો અને ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાને લઇને સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કેટલીક મહત્વપૂર્ણ ભલામણ મોદી સરકારને કરી છે. જસ્ટિસ એફ નરિમનની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે કહ્યું કે સંસદે એ વાત પર વિચાર કરવો જોઇએ કે કોઇ સ્વતંત્ર સંસ્થા, સાંસદ અથવા ધારાસભ્યની સદસ્યતા રદ કરવા અથવા યથાવત રાખવા વિશે નિર્ણય લે.
જસ્ટિસ એફ નરિમનની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે મોદી સરકારને ભલામણ કરી
કોઇ સ્વતંત્ર સંસ્થા, સાંસદ અથવા ધારાસભ્યની સદસ્યતા રદ કરવા અથવા યથાવત રાખવા વિશે નિર્ણય લે
MLA અથવા MP ની સદસ્યતા રદ કરવાને લઇને સ્પીકરને અપાયેલી સત્તા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે
સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કહ્યું કે ધારાસભ્ય અથવા સાંસદની સદસ્યતા રદ કરવાને લઇને સ્પીકરને આપવામાં આવેલી સત્તા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. આ દરમિયાન બેંચે પૂછ્યું કે, જ્યારે સ્પીકર કોઇને કોઇ રાજકીય પાર્ટીનો સદસ્ય હોય છે તો તેના નિર્ણય પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઇ સાંસદ અથવા ધારાસભ્ય પાર્ટી બદલૂ જેવા મુદ્દાઓને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવે છે તો તેમને એક દિવસ પણ પદ પર બની રહેવાનો અધિકાર ન હોવો જોઇએ.
સદસ્યતા રદ્દ કરવાનો વર્તમાન કાયદો
સદસ્યતા રદ કરવાને લઇને વર્તમાનમાં જે કાયદો છે તેના મુજબ, સ્પીકર પાસે એ અધિકાર હોય છે કે તેઓ કોઇ સદસ્યની સદસ્યતા રદ કરે અથવા યથાવત રાખે. પરંતુ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ભલામણ આપતા કહ્યું કે, કોઇ રિટાયર્ડ જજોની કમિટીને સદસ્યતા રદ કરવા અથવા યથાવત રાખવાનો અધિકાર આપવામાં આવે. આ કમિટી અથવા કોઇ ટ્રિબ્યૂનલ દરેક જગ્યાએ વર્ષો સુધી કામ કરે જ્યાં સદસ્યતા સાથે જોડાયેલા મુદ્દાઓ નક્કી કરવામાં આવે.
સુપ્રીમે મણિપુરના એક મામલા પર આમ કહ્યું
સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ આ વાત મણિપુર સાથે જોડાયેલા એક મામલા પર સુનાવણી દરમિયાન કહી છે. અહીં બે ધારાસભ્યોએ અહીંના જ મંત્રી શ્યામકુમારની સદસ્યતા રદ કરવાની માંગ કરતા કોર્ટમાં અરજી દાખલ કરી છે. શ્યામકુમાર પહેલા કાંગ્રેસમાં હતા અને બાદમાં બીજેપીમાં સામેલ થઇને મંત્રી બની ગયા. આ મામલામાં અરજીકર્તાનું કહેવું છે કે, મણિપુરના સ્પીકર તેના પર કોઇ નિર્ણય નહીં લઇ રહ્યા. મંગલવારે સુપ્રીમ કોર્ટે મણિપુરના સ્પીકરને 4 સપ્તાહમાં નિર્ણય લેવા કહ્યું છે.