સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યુ છે કે મોરેટોરિયમના સમય માટે ક્રેડિટ કાર્ડ યુઝર્સને ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પર વ્યાજ)નો લાભ કેમ મળવો જોઈએ? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્રેડિટ કાર્ડ યુઝર્સનો ઉપયોગ ખરીદી કરવા માટે કરવામાં આવ્યો છે નહીં કે લોન લેવા માટે.
તેમને મોરેટોરિયમનો લાભ ન મળવો જોઈએ
ક્રેડિટ કાર્ય યુઝર્સે વસ્તુ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો છે
આ લાભ કોરોના કાળની પહેલા ડિફોલ્ટરો માટે ઉપલબ્ધ નથી
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી 3 સભ્યોની પેનલે આ વાત ત્યારે કરી જ્યારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે ક્રેડિટ કાર્ડ ધારકોની રકમ ભરવાના મેસેજ મળી રહ્યા છે. તેમણે કહ્યું કે હું પણ ક્રેડિટ કાર્ડ વાપરુ છુ અને મને એવા મેસેજ મળે છે. આના પર પેનલે કર્યું કે ક્રેડિટ કાર્ય યુઝર્સે વસ્તુ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો છે. તેમને મોરેટોરિયમનો લાભ ન મળવો જોઈએ.
ત્યારે સુનવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે આ બેંકોની જવાબદારી છે કે તે મોરેટોરિયમના સમયનું ચક્રવૃદ્ધિ વ્યામાં છુટને લોનધારકોના ખાતામાં જમા કરાવે. એટલા માટે બેંકોને યાદ અપાવવાની જરુર નથી. આ લાભ કોરોના કાળની પહેલા ડિફોલ્ટરો માટે ઉપલબ્ધ નથી.
બીજી તરફ અનેક સેક્ટરો તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમને કોરોનાના સંકટ દરમિયાન સરકાર તરફથી કોઈ રાહત મળી નથી. આના પર સુપ્રીમ કોર્ટના તમામ પક્ષકારોને સંક્ષેપ સલાહ આરબીઆઈ અને કેન્દ્ર સરકરાની સામે રજુ કરવાનું કહેવામાં આવ્યું છે