રાજકોટઃ કોંગ્રેસમાંથી રાજીનામુ આપેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરી શકે છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકોએ હોટેલમાં મિટિંગ યોજી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુના માર્ગદર્શન અને દિશા નિર્દેશથી સમર્થકોની મિટિંગ યોજાઈ હતી. જાહેર જીવનમાં સક્રિય થવાના નામે સમર્થકોએ મિટિંગ યોજી હતી.
અમેરીકાથી પરત ફર્યા બાદ ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે તેમને કુવરજી બાવળી સાથે કોઈ વાંધો ન હતો. બલકે પક્ષની કાર્યપધ્ધતીને કારણે તેઓ નારાજ હતા. ઈન્દ્રનીલે વધુમાં કહ્યું કે હું કોંગ્રેસમાં ફરી સક્રીય થાવ તેવી સમર્થકોની માગ છે.
મહત્વનું છે કે રાજકોટમાં કોંગ્રેસના નેતા રાજભા ઝાલાએ નિવેદન આપ્યું હતું કે ઇન્દ્રનીલ રાજગુરુ જેવા નેતા રાજકારણમાંથી નિવૃત થાય તે સમાજ માટે સારું નહીં.
ઉલ્લેખનીય છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ રાજ્યગુરુએ પ્રેસર ટેક્નિક અપનાવી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થનમાં 17 કોર્પોરેટરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી.