NSA અજીત ડોભાલના અફઘાનિસ્તાનના પ્લાનને તાલિબાને સમર્થન આપ્યું છે. જેમા તાલિબાની પ્રવક્તાએ કહ્યું કે અમે પણ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છીએ છે.
તાલિબાને ભારતના પ્લાનને આપ્યું સમર્થન
કહ્યું ભારતી બેઠક શાંતિ અને સ્થિરતા લાવવા મદદ કરશે
લોકોને રોજગાર મળે તે અમારી પહેલા પ્રાથમીકતા: પ્રવક્તા સુહેલ શાહિન
અફઘાનિસ્તાન મુ્દ્દે કાલે ભારતમાં 7 દેશોના NSA વચ્ચે બેઠક થઈ હતી. તો બીજી તરફ આજે પાકિસ્તાન ત્યાથી પરિસ્થિતીને લઈને બેઠક યોજવાનું છે. જેમા તાલિબાનના નેતાને પણ શામેલ કરવામાં આવ્યા છે. જોકે તાલિબાને સમગ્ર મામલે એવી આશા વ્યક્ત કરી છે. કે દિલ્હીમાં જે બેઠક થઈ છે તેના કારણે શાંતિ અને સ્થિરતા આવશે.
ભારતની બેઠક શાંતિ અને સ્થિરતા લાવવા મદદ કરશે
તાલિબાનના પ્રમુખ સુહેલ શાહિને મીડિયા સાતે વાતચીત કરતા હહ્યું કે ભારતમાં જે બેઠક થઈ છે તેને તાલિબાન સકારાત્મક અને વીકાસની રીતે જોઈ રહ્યું છે. સાથેજ તેમણે એવી આશા પણ વ્યક્ત કરી છે કે ભારતની બેઠક અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા લાવવામાં મદદ કરશે.
તાલિબાને ભારતની પહેલનને આપ્યું સમર્થન
અજીત ડૌભાલની અધ્યક્ષતામાં ભારતે બુધવારે સાત દેશો બેઠકમાં વાતચીત કરી હતી. આ બેઠકમાં ચીન અને પાકિસ્તાનને પઁણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે તેઓ ન આવ્યા. બેઠકને લઈ સુહેસ શાહિને કહ્યું કે તાલિબાન ભારતની આ પહેલને સમર્થન આપે છે કે જેના કારણે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા બને.
શાંતિ અને સ્થિરતા લાવવી અમારો ઉદ્દેશ
વધુમાં સુહેલ શાહીને કહ્યું અફઘાનિસ્તાનમાં સ્થિરતા અને શાંતી આવે તેજ તેમનો ઉદ્દેશ છે. સાથેજ તેણે કહ્યું તાલિબાન દેશમાં આર્થિક યોજનાઓને પૂરી કરવા માગે છે સાથેજ નવા પ્રોજેક્ટો પણ શરૂ કરવા માગે છે. ઉપરાંત ત્યા લોકોને રોજગાર મળી રહે તે તેમની પહેલી પ્રાથમિકતા છે. આ સમગ્ર મામલે એનએસએ સ્તર પર જે બેઠક થઈ હતી તેમા તાલિબાને સમર્થન આપ્યું હતું.
બેઠકમાં દરેક દેશે આંતકવાદને લઈને ખાસ ચર્ચા કરી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બેઠકમાં દરેક દેશો એ વાત પર ખાસ ચર્ચા કરી અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આંતકવાદ માટે ન થવો જોઈએ. કારણકે મોટા ભાગના લોકોને એ વાતનો ડર છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ ત્યા આતંકી પ્રવૃત્તિઓ વધી શકે છે.