ગુજરાતમાં રાજયવ્યાપી ચાલતા સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે સમગ્ર મામલો સામે આવ્યા બાદ પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે. મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે સમગ્ર કૌભાંડ મામલે તલસ્પર્શી તપાસ ચાલી રહી છે અને કૌભાંડમાં સંડોવાયેલાઓને છોડવામાં આવશે નહીં, જવાબદારો સામે પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવશે, મંત્રીએ રાદડિયાએ વધુમાં કહ્યું કે પુરવઠા વિભાગ આવા દુકાનદારોને બોલાવી તપાસ કરી રહી છે ત્યારે ગરીબોનું અનાજ હજમ કનારાને છોડવામાં આવશે નહીં .
સાબરકાંઠાથી ઝડપાયેલા અનાજ કૌભાંડના તાર રાજકોટ સુધી
મહત્વનું છે સાબરકાંઠાના ત્રણ સસ્તા અનાજના દુકાનદારો અને વચેટીઓ મળી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ જણાની ધરપકડ કરી છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જીલ્લાના 85થી વધુ સસ્તા અનાજની દુકાનના તેમજ મંડળીના નામો ખુલતા બન્ને જિલ્લામાં ભારે ખળભળાટ મચ્યો છે. ત્યારે સાબરકાંઠાથી ઝડપાયેલા સસ્તા અનાજ કૌભાંડના તાર છેક રાજકોટ સુધી જોડાયેલા છે.
દુકાનદારો જે કાર્ડધારકો રાશન લઈ ન જતા હોય તેમના નામે ખોટા બીલો બનાવીને તેમજ ભુતીયાકાર્ડનો સહારો લઈને અનાજ સગેવગે કરતા હોવાનો પર્દાફાશ થયો હતો જે બાદ હવે સસ્તા અનાજનું કૌભાંડ આચરનારા દુકાનદારો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ઉલ્લેખનિય છે કે રાજયવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ સમગ્ર કૌભાંડમાં 300થી વધુ આરોપીઓની સંડોવણીમાં નામો ખુલવા પામ્યા છે, ત્યારે સમગ્ર મામલે પુરવઠા મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે અને ગરીબોનું અનાજ સગેવગે કરનાર લોકોના સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.
સરકારી અનાજને આવી રીતે સગેવગે કરાતું હતું
સસ્તા અનાજની દુકાનમાંથી જે રેશનકાર્ડ ધારકો માસીક અનાજ ખરીદતા ન હોય તેવા રેશનકાર્ડ ધારકોના નામે સંચાલકો ખોટા ઓનલાઈન બીલો બનાવી દેતા હતા. જેમાં રેશનકાર્ડ ધારકની જાણ બાહાર જ સમગ્ર માહિતી જેવી કે કાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધારકાર્ટ નંબર, આગણાની છાપોનો ડેટા, ગેમસ્કેન, સેવડેટા જેવા સર્વર બેઈઝ સોફટવેર બનાવી તેમાં ડેટા કોપી રાખી બાદામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, અનાજ તેમજ રાશન ખરીદી કરેલ ન હોય તેવા રેશનકાર્ડ ધારકના નામના વેબસાઇટ ઉપર ખોટા બીલો બનાવી સરકારી રાશનને સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ચાલતું હતું જેનો પર્દાફાશ થયો છે.