Video / બનાસકાંઠામાં અંધશ્રદ્ધા ફેલાવતો વિડીયો વાયરલ, સવાશેર ચોખાનો ધૂપ કરીને કોરોનાને નાથવાનો કર્યો દાવો

બનાસકાંઠાના શિરવાડા ગામે અંધશ્રદ્ધા ફેલાવતા ભુવાનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં મંદિરના ભુવા દ્વારા કોરોનાને નાથવાનો દાવો કરવામાં આવ્યો છે. ભુવા દ્વારા કોરાનાને નાથવા માટે સવાશેર ચોખાનો ધૂપ કરવાનું કહેવામાં આવ્યું છે અને આ રીતે કેટલાક લોકોને કોરોનામાંથી સાજા કર્યાનો પણ દાવો કરાયો છે. જો કે VTV આવી કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને સમર્થન કરતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ