2011ના વર્લ્ડકપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવીને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની ગયુ. આ મેચમાં ટીમ ઇન્ડિયાના ગૌતમ ગંભીર (97 રન) અને મહેન્દ્ર સિંહ ધોની (91 રન)ની શાનદાર ઇનિંગની મદદથી શ્રીલંકાને ધૂળ ચટાડી હતી. 2011ના વર્લ્ડકપની ફાઇનલ મેચમાં એક રસપ્રદ કિસ્સો બન્યો, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.
આ વાતનો ખુલાસો ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઑપનર વિરેન્દ્ર સહેવાગે એક ટોક શોમાં કર્યો હતો. સેહવાગે જણાવ્યું હતું કે સચિન તેંડુલકરે તેને વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા દીધી ન હતી અને ડ્રેસિંગ રૂમમાંથી બહાર નીકળવા ન દીધો.
સહેવાગે આગળ કહ્યુ કે, ''જ્યારે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે હું અને સચિન પાજી ડ્રેસિંગ રૂમમાં એકસાથે બેઠા હતા, હુ જેવો ઉભો થવા ગયો ત્યારે સચિન પાજીએ મને બેસાડી દીધો અને ફોર વાગી અને અમે બંને ફરીથી વાતો કરવા લાગ્યા.''
વીરૂએ કહ્યુ કે, ''થોડા સમય બાદ હું ફરીથી ઊભો થવા ગયો અને ફરી ચોગ્ગો લાગ્યો તો સચિન પાજીએ મને આખી મેચ બેસાડી રાખ્યો.'' જણાવી દઈએ કે આ કારણે વિરેન્દ્ર સહેવાગ આ આખી મેચ નહોતો જોઈ શક્યો. સહેવાગે કહ્યુ કે, ''જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો તે સમયે સચિન પોતાની બેગ ખોલીને હતી અને હાથ જોડીને બેઠા હતા. સચિનની બેગમાં ભગવાનોની ફોટોઝ હતી.''
સહેવાગને અંધવિશ્વાસથી દૂર રહેવાની સલાહ આપનારા સચિન તે સમયે કંઇ પણ કરવા માટે તૈયાર હતી. અહીંયા સુધી કે તેમણે પોતે તો મેચ ન જોઈ પરંતુ સહેવાગને પણ ના જોવા દીધી. જણાવી દઇએ કે, આ મેચમાં સચિન અને સહેવાગ જલ્દી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વીરૂ શૂન્ય પર અને સચિન 18 રનને લસિથ મલિંગાનો શિકાર બન્યા હતા.