કચ્છમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 6 વ્યક્તિઓના હાથ ઉકળતા તેલમાં નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાપર તાલુકાના ગેડી ગામે અંધશ્રદ્ધાનું ભયાનક રૂપ જોવા મળ્યું છે. છોકરી ભગાડવાનો વ્હેમ રાખીને ઊકળતા તેલમાં 6 લોકોના હાથ નખાવ્યા છે. ભક્તાવાંઢના પીયરીયાઓએ મંદિરે તેલનો તવો તૈયાર કર્યો હતો. ઘટનામાં 6 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. રાપર પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.
સુરતમાં પણ એક યુવક સાથે અદાવતનો બદલો લેવાયો
તો આ તરફ સુરતમાં પણ એક અમાનવિય ઘટના સામે આવી છે. જ્યાં પાંડેસરા GIDCની એક કંપની પાસે યુવકને બાંધવામાં આવ્યો હતો. જે બાદ તેના પર જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના તાર યુપી સાથે સંકળાયેલા છે. જ્યાં યુપીમાં મામાની હત્યાની અદાવત રાખવામાં આવી હતી. અને સુરતમાં યુવકને ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને 108ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટનામાં 4 લોકો સામેલ હોવાનું સામે આવ્યો હતો. યુવકને સળગાવી દેવાનો પ્રયાસ થયો હતો.