21મી સદીમાં જીવતા લોકોમાં હજુ પણ 18મી સદી ડોકીયુ કરી જતી હોય તેવી શરમજનક ઘટના બનાસકાંઠામાં ઘટી છે. ડેરીમાં કેટલાક પશુપાલકોનું દૂધ એટલા માટે નથી લેવામાં આવી રહ્યુ કારણ કે માતા ના પાડી રહ્યા છે. આ તે કેવી અંધશ્રદ્ધા. ખેડૂતે પોતે આ ઘટનાનો વીડિયો વાયરલ કરીને ન્યાયની ગુહાર લગાવી પડી રહી છે.
અંધશ્રદ્ધાના નામે કેટલાક પશુપાલકોનું દૂધ બંધ
3 ખેડૂતોનું દૂધ ખરાબ આવતું હોવાનું કહી બંધ કરાયુ દૂધ
દૂધ મંડળીના મંત્રીએ કહ્યું, ''માતા રજા આપે તો દૂધ લઉં''
બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણામાં ડેરીની આશાપુરા દૂધ મંડળીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અંધશ્રદ્ધાના નામે કેટલાક પશુપાલકોનું દૂધ ડેરીએ લેવાનું બંધ કરી દીધુ છે. એટલુ જ નહીં પરંતુ માતાને નામે ડારો અપાઈ રહ્યો છે કે માતા રજા આપે તો જ આ પશુ પાલકોનું દૂધ લેવાય નહીં તો ન લેવાય
3 ખેડૂતોનું દૂધ નથી લેવાતુ
3 ખેડૂતોનું દૂધ ખરાબ આવતું હોવાનું કહી દૂધ બંધ કરાયુ છે. દૂધ મંડળીના મંત્રીએ કહ્યું, ''માતા રજા આપે તો દૂધ લઉં''. ખોટા રિપોર્ટ બનાવી ખેડૂતોનું અંગત અદાવતમાં દૂધ બંધ કરવામાં આવ્યુ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ખોટા રિપોર્ટ બનાવ્યા
દૂધ મંડળીના ચેરમેને કહ્યુ, ''મંત્રીએ ખોટા રિપોર્ટ બનાવ્યા'' છે. સમગ્ર ઘટનાનો પશુપાલકે વીડિઓ વાયરલ કર્યો છે. વીડિયો દ્વારા તે 21મી સદીમાં 18મી સદીના વર્તનને કારણે પોતાને થઈ રહેલા નુકસાનની વ્યથા કરી રહ્યો છે.
21મી સદીમાં 18મી સદીની માનસિકતા
આ ઘટનાને પગલે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, અંધશ્રદ્ધાના નામે દૂધ બંધ કરવાનું કારણ કેટલું યોગ્ય? શહેરો 21મી સદી તરફ વળ્યા,પરંતુ ગામડાઓ હજુ 18મી સદીમાં જ છે? દૂધમંડળીને આવો અધિકાર આપ્યો કોણે? અંધશ્રદ્ધાના નામે કેમ પશુપાલકોને પરેશાન કરાઈ રહ્યા છે? શું આવા દૂધમંડળીના સંચાલકો સામે પગલાં ન લેવાવા જોઈએ?