સુરતઃ કતારગામમાં અંધશ્રધ્ધાના કારણે વિમલનાથ સોસાયટીમાં એક પરિવાર પિતાના મોતનું કારણ બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વળગાડનો વહેમ રાખીને પિતાને કંકુવાળું પાણી પીવડાવીને પરિવારજનો છાતી પર કૂદતા પરિવારના મોભીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પત્ની 3 પુત્રો એક પુત્રી અને પુત્રવધૂ પર હત્યાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં કતારગામ પોલીસે મુળ બનાસકાંઠાના આરોપી પરિવારને ઝડપી પાડ્યો છે.
આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા સમાજમાં એટલી હદે પ્રવર્તી રહી છે કે એક યુવાનમાં ડાકણ હોવાના વહેમને લઈને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસમાં આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. જેમાં તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાટીસકુવા ગામમાં ચોંકાવનારી ઘટના બની હતી. તાપી જીલ્લામાં માતાજી બનેલી એક ૧૮ વર્ષીય યુવતીના ઇશારે તેના ચેલાઓ દ્વારા ડાકણ કાઢવા માટે ઢોર માર મરાયો જેણે કારણે યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.