સ્માર્ટસિટી અમદાવાદના જુહાપુરામાં કેટલીક ગેર માન્યતા અને આ સ્થળ પર અફવાઓનું બજાર ગરમ છે, લોકો વેક્સીન લેવા તૈયાર નથી
વેક્સિનેશનથી કેમ દૂર ભાગો છો?
સ્માર્ટસિટીમાં પણ લોકોમાં અંધશ્રદ્ધા
લોકો વેક્સિન લેવાનો કરે છે ઈનકાર
કોરોનાથી બચવા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ આજે સ્માર્ટસિટી અમદાવાદના જુહાપુરામાંથી કેટલાક દૃશ્યો સામે આવ્યા છે. આ સ્થળ પર અફવાઓનું બજાર ગરમ છે. લોકો વેક્સીન લેવા તૈયાર નથી અને ગેરસમજમાં જ જીવી રહયા છે.
કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. કોઈ એક ઘર એવું નહીં હોય કે, જેમને પોતાની નજીકના સ્વજન ગુમાવ્યા ન હોય. કોરોનાથી બચવા વેક્સિન જ એક રામબાણ ઉપાય છે. પરંતુ અમદાવાદના જુહાપુરાના લોકોમાં અફવાઓથી એવા ભરમાયા છે કે, તેઓ હજુ પણ વેક્સીન લેવા તૈયાર નથી. અહીંના લોકો ભગવાન પર ભરોસો રાખી વેક્સીન લઈ રહયા નથી.
અફવાઓનું બજાર જુહાપુર વિસ્તારમાં એટલું ચાલ્યું છે કે, મહામારીના સમયે લોકો અંધશ્રદ્ધા વચ્ચે જીવી રહયા છે. અમદાવાદ આમ તો, સ્માર્ટસિટી કહેવાય છે. પરંતુ વીટીવી ન્યુઝ જયારે જુહાપુરાના રહીશોની વચ્ચે પહોંચી. ત્યારે વાસ્તવિકતા અલગ જ જોવા મળી છે. અહીંના 10થી 15 ટકા લોકો એવા હશે. જેમને વેક્સિન લીધી છે. અને બાકીના તમામ લોકો માત્ર વેક્સિનની અફવાના ભ્રમમાં જીવી રહયા છે.
રાજ્ય સરકાર વેક્સીન તો આપી રહી છે. પરંતુ વેક્સિન અંગેની જાગૃતતાના અભાવને કારણે અફાવોનું બજાર લોકો સુધી એવું પહોંચી ગયું છે કે, લોકો કોરોના વેક્સીનને જ બીમારી ગણી બેઠા છે. લોકોમાં ભ્રમ છે કે, વેક્સીન લઈશું તો મરી જશું. આ રહીશોને મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર હાજીભાઇ વેકસીન અંગે સમજ આપી વેક્સીન લેવા આગ્રહ કરી રહયા છે. પરંતુ લોકો તે અંગે સમજવા તૈયાર નથી. એટલું જ નહીં માસ્ક પહેરવા પણ લોકો ઇનકાર કરી રહ્યા છે.કોરોના એ વિશ્વની તાસીર બદલી છે. પેહલા લોકો બીમારી મોતને ભેટયા અને હવે જયારે વેક્સિનેશન જ એક ઉપાય છે. ત્યારે કહેવાતા સ્માર્ટસિટીના જુહાપુરામાં લોકો અલગ જ ભ્રમમાં છે.