આંધ્ર સરકાર દ્વારા બોર્ડની પરીક્ષા રાખવા મુદ્દે સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી. જેમાં સુપ્રિમ કોર્ટે આંધ્ર સરકારની ઝાટકણી કાઢી. કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓને કઈ થશે તો સરકારની જવાબદારી રહેશે. સાથેજ કોઈ પણ વિદ્યાર્થીનું મોત થશે તો એક કરોડનું વળતર આપવા માટે કહ્યું.
સુપ્રિમકોર્ટે આંધ્ર સરાકારની ઝાટકણી કાઢી
બોર્ડની પરિક્ષા રદ ન થતા સુપ્રિમ કોર્ટમાં થઈ સુનાવણી
વિદ્યાર્થીઓને કઈ થયું તો સરકારની જવાબદારી: સુપ્રિમકોર્ટ
કોરોનાને કારણે દેશના મોટાભાગના રાજ્યોએ 10માં અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી કાઢી છે. પરંતુ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા 12માં ધોરણની બોર્ડની પરીક્ષા રદ કરવામાં નથી આવી. જેના કારણે સુપ્રિમ કોર્ટ દ્વારા આંધ્ર પ્રદેશ સરકારને ચેતવણી આપવામાં આવી કે પરિક્ષાને કારણે જો કોઈ વિદ્યાર્થીને કોરોના થયો અને તેનું મોત થયું તેની જવાબદારી સરકારની રહેશે.
પરીક્ષા માટે સુરક્ષીત વ્યવસ્થા
સુપ્રિમકોર્ટ દ્વારા આંધ્ર સરકારને કહેવામાં આવ્યું છે, કે જો કોઈ પણ વિદ્યાર્થીનું કોરોનાને કારણે મોત થશે તો સરકારે તેના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવું પડશે. સાથેજ સરકારને એવું પણ કહેવામાં આવ્યું કે જ્યા સુધી દરેક બાળકો માટે સુરક્ષીત વ્યવસ્થા કરવામાં નહી આવે ત્યા સુધી તેઓ પરિક્ષાનું આયોજન પણ નહી કરી શકે.
1 કરોડનું વળતર
જસ્ટિસ એમ ખાનવિલકર અને દિનેશ માહેશ્વરી દ્વારા આંધ્ર સરકારને એવું પુછવામાં આવ્યું કે દેશમાં કોરોનાને કારણે પરિસ્થિતી સૌથી ખરાબ છે, તો પછી આવી પરિસ્થિતીમાં પણ તમારે પરીક્ષા શા માટે રાખવી છે. ત્યારબાદ કોર્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી કે જો કોરોનાને કારણે એક પણ બાળકનું મોત થશે તો 1 કરોડ રૂપિયા વળતર આપવું પડશે.
જુલાઈના અંતિમ સપ્તાહમાં પરીક્ષા લેવાશે
જોકે કોર્ટમાં આંધ્ર સરકારે સુપ્રિમ કોર્ટને ભરોસો આપ્યો કે તેઓ વિદ્યાર્થીઓની પરિક્ષાનું આયોજન સફળતા પૂર્વક કરી લેશે. આંધ્ર સરકારનું એવું માનવું છે કે પરીક્ષાથી લેવાથીજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું રહેશે. જુલાઈના અંતિમ સપ્તાહમાં સરકાર 12માં ધોરણની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરે તેવી શક્યતા છે.
વિદ્યાર્થીઓની જવાબદારી સરકારની રહેશે
સમગ્ર મામલે આંધ્ર સરકારે એવું કહ્યું કે વિશેષજ્ઞો પણ પરીક્ષા લેવા માટે સલાહ આપી રહ્યા છે. આ મામલે આંધ્ર સરકાર અડગ છે કે તેઓ પરીક્ષા લેશે. જેથી આ મુદ્દો સુપ્રિમ કોર્ટ સુધી પહોચ્યો. પરંતુ સુપ્રિમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો કોરોનાને કારણે એક પણ વિદ્યાર્થીનું મોત થયું તો તેની જવાબદારી આંધ્ર સરકારની રહેશે