અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘાતક કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં મહત્વની ફરજ બજાવનાર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદીએ સરકાર સમક્ષ ત્રીજી વખત રાજીનામું આપતાં મંજૂર
ડો.જે.વી મોદી આ પહેલા 3 વખત રાજીનામું આપ્યું હતું
સરકારે અંતે છેલ્લે રાજીનામું મંજૂર કર્યું
કોરોનાકાળમાં કરી હતી ઐતિહાસિક કામગીરી
જાણો શું આપ્યું નિવેદન
સિવલ હોસ્પિટલના અંતિમ દિવસે વિદાયમાં જે.વી.મોદીએ જણાવ્યું હતું કે, આ રાજીનામું કોઈના કહેવાથી નહીં પણ મારા અંગત કારણોસર આપી રહ્યું છે. મારો વિલ પાવર મજબૂત છે. કોરોના કાળને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલએ મારી માતા સમાન છે. વર્ષ 1991માં હું સિવિલ હોસ્પિટલમાં જોડાયો હતો. મારા કાર્યકાળ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં અને પડકારો ઝીલ્યા છે. અને હું પડકારોથી હારનારો માણસ નથી સિવિલ હોસ્પિટલમાં એબ્યુલન્સની લાઈનનો મારા માટે સૌથી મોટો પડકાર હતો.
કોરોના કાળમાં કરેલી કામગીરી સામે સવાલો ઉભા થયાં હતાં.
સિવિલ હોસ્પિટલ કોરોના કાળમાં દર્દીઓની ખૂબ જ દયનિય હાલત થઈ હતી. તેમજ અનેક લોકોએ સારવાર વગર દમ તોડયા હોવાના પણ દ્રશ્ય સામે આવ્યા હતા. તેમજ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મોત થયા બાદ આંકડા છુપાવવામાં અને કેટલાક લોકોને સાચવવા માટે આક્ષેપો હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદી સમક્ષ થયા હતાં. જ્યારે કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત ખૂબજ ખરાબ થઈ હતી. લોકોને ઓક્સિજન અને સારવાર માટે બેડ મળવા પણ મુસીબત હતાં. આ સમયે સિવિલ હોસ્પિટલની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં હતાં.