બાળકના મગજનો વિકાસ અને હેલ્થ સારી રાખવા માટે હેલ્ધી ખોરાક જરૂરી છે, નાનપણથી બાળકના ડાયટમાં આ વસ્તુંઓ સામેલ કરવી જરૂરી છે.
બાળકના ડાયટમાં સામેલ કરો આ ફૂડ
મેન્ટલ અને ફીઝીકલ હેેલ્થ માટે જરૂરી
ડેરી પ્રોડક્ટ સામેલ કરો આહારમાં
જો તમે પણ તમારાં બાળકના મનને તીક્ષ્ણ બનાવવા માંગતા હો તો તેમના ડાયેટનું ધ્યાન રાખો. આજના જમાનામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું બાળક દરેક બાબતમાં આગળ રહે. ભલે તે અભ્યાસ હોય કે રમતગમત. બાળકોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર સૌથી વધુ મહત્વનો છે.
ઈંડાં
ઇંડાં બાળકોનાં સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. તેમાં ઓમેગા -૩ ફેટી એસિડ્સ, લ્યુટિન, કોલિન અને ઝિંક શામેલ છે. આ બધાં પોષક તત્ત્વ ધ્યાનની ક્ષમતામાં વધારો કરે છે. કોલિક એસીટીલ્કોલાઇન અથવા મેમરી સ્ટેમ સેલ્સ બનાવવામાં મદદ કરે છે. ઈંડાં ખાવાથી બાળકોની યાદશક્તિમાં સુધારો થાય છે.
અનાજ
અનાજ બાળકોનાં મગજને સતત એનર્જી આપે છે. તે રક્તવાહિનીઓમાં ગ્લુકોઝને નરમાશથી બહાર કાઢે છે, જે આખો દિવસ બાળકના શરીરને શક્તિશાળી રાખે છે. અનાજમાં મગજનાં યોગ્ય કાર્ય માટે જરૂરી ફોલિક એસિડ પણ હોય છે.
દહીં
દૂધ કરતાં બાળકોના મગજના વિકાસમાં દહીં વધારે ફાળો આપે છે. જો બાળકોને દહીં નિયમિતપણે આપવામાં આવે છે, તો મગજના કોષો ફ્લેક્સિબલ બને છે, જેના કારણે મગજમાં સંકેતો લેવામાં અને તેના પર ઝડપથી પ્રતિક્રિયા લેવાની ક્ષમતામાં પણ વધારો થાય છે.
ઓટ્સ
ઓટ્સમાં વિટામિન ઈ, ઝિંક અને વિટામિન બી કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ઓટમાં ફાઈબર પણ વધુ હોય છે, જે બાળકનાં શરીરને એનર્જી આપે છે. નાસ્તામાં બાળકોને ઓટ્સ ખવડાવવાથી મગજના કાર્યો સુધારવામાં મદદ મળે છે.
લીલાં શાકભાજી અને ફ્રૂટ
પાલક, બ્રોકોલી અને અન્ય પાંદડાંવાળાં લીલાં શાકભાજી તીક્ષ્ણ મન માટે મદદગાર છે. ટામેટાં જેવી કેટલીક અન્ય શાકભાજી પણ વધુ સારી છે, કેળાં, બ્લુબેરી, રાસબરી અને બ્લેકબેરી પણ એન્ટીઓકિસડન્ટથી ભરપૂર છે, જે મગજનું આરોગ્ય જાળવવામાં મદદ કરી શકે છે.