કોરોના કાળા કહેર વચ્ચે કુદરત ફરી રૂઠ્યા છે. ભારતના પૂર્વઘાટના ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યઓમાં કોરોના વચ્ચે ભયાનક ‘અમ્ફાન’ વાવાઝોડાંનો ખતરો મંડરાઈ રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં અમ્ફાન વાવાઝોડું 155થી 165 કિમીની ઝડપે આવી રહ્યું છે, બંગાળના તટીય પ્રદેશથી માત્ર 125 કિમી દૂર છે. આ ઉપરાંત આજ સાંજ સુધીમાં ઓડિસાના તટીય પ્રદેશોમાં ટકરાઈ શકે છે.
હવામાન વિભાગના નાયબ નિયામકના કહેવા મુજબ અમ્ફાન વાવાઝોડું બપોરે 11.30 વાગ્યે બંગાળની દરિયા કિનારાથી 125 કિમી જેટલું દૂર છે. અમ્ફાન બંગાળ અને ઓરિસ્સા સહિત બાંગ્લાદેશ અને અન્ય રાજ્યમાં પણ નુકશાન કરી શકે છે. હાલમાં ઓડિસા અને બંગાળના અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરિયા કિનારા પર ભારે પવનોએ તાંડવ રચ્યું છે. અમ્ફાન આવતી કાલે કોલકતાં અને બાંગ્લાદેશના ઢાંકામાં વધારે તીવ્ર રીતે પહોંચી નુકશાન પહોંચાડી શકે છે.
રાજ્યના વહીવટી અધિકારીઓના કહેવા મુજબ ઓરિસ્સા અને બંગાળના દરિયાકિનારના અનેક ગામો ખાલી કરાવાયા છે. એક માહિતી મુજબ લગભગ 14 લાખ લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. દરિયાકિનારના વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. બંગાળ અને ઓરિસ્સામાં વધારે નુકશાન થવાની ભીતિ હોવાથી કેન્દ્રની 53 કરતાં વધારે NDRFની ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત આર્મીના બે એરક્રાફ્ટ તૈનાત રાખાયા છે.
UPDATE - #SuperCycloneAmphan about 125 km south-southeast of Digha (West Bengal) at 11:30 am. To cross West Bengal-Bangladesh coasts between Digha, West Bengal & Hatiya Islands, Bangladesh close to Sunderbans. Landfall process to commence from afternoon: India Meteorological Dept pic.twitter.com/M6h7NWRbrC
હવામાન અધિકારીઓના મતે અમ્ફાન ભારતના 11 રાજ્યો અને 1 કેન્દ્રસાશિત પ્રદેશના વિસ્તારોમાં પોતાની અસર દેખાડી શકે છે. આ સાથએ બાંગ્લાદેશ પર ભારે અસર થશે જ્યારે નેપાળના અમુક વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. હાલમાં આજ અને કાલના દિવસોમાં કોલકતા અને ભુનેશ્વર શહેરમાં ખુબ મોટી અસર થઈ શકે, જો કે તંત્રની અલર્ટનેસ છે.
અમ્ફાનના તેજ પવનો ઓરિસ્સાને પારદ્વીપને પાર કરી ચુક્યા છે. ગમે ત્યારે શહેરોમાં ત્રાટકી શકે છે. હાલમાં રાજ્યના અનેક શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકિનારના ગામોમાં મોટા વૃક્ષ ધરાશાયી થયાની અનેક ઘટના બની છે. હાલમાં ઓરિસ્સા પહોંચેલું અમ્ફાન ઓરિસ્સા કરતાં પણ વધુ બંગાળ અને બાંગ્લાદેશને વધુ નુકશાન પહોંચાડી શકે છે.