ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનને રાજ્ય સરકારે IAS પદેથી નિવૃતિ બાદ છઠ્ઠી વખત એક્સટેન્શન આપ્યું છે. 2013થી 2019 અર્થાત્ છેલ્લા છ વર્ષમાં ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી મળ્યા પણ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવનું પદ છેલ્લા છ વર્ષની માત્ર એક જ વ્યક્તિ સંભાળી રહ્યા છે તે છે કુનિયિલ કૈલાસનાથ ( કે. કૈલાસનાથન). સચિવાલયના એક ડાયરેક્ટર કક્ષાના અધિકારીએ નામ ન લખવાની શરતે એવું પણ જણાવ્યું છે કે ગુજરાતના 'સુપર CM' તો કે. કૈલાસનાથન છે. જોકે કૈલાસનાથન રાજ્યના 'સુપર CM' અર્થાત્ સુપર કોમનમેન તરીકે સેવા આપી રહ્યા છે.
મોદીની ગુડ બુકમાં આવતાં કે કૈલાસનાથન વિના કોઈ પણ CMને ન ચાલે
રાજ્ય સરકારનો કોઈ પણ કાયદાકીય નિર્ણય કૈલાસનાથન વગર અધુરો
કૈલાસનાથન એકમાત્ર નિવૃત IAS જેમને છઠ્ઠી વખત એક્સટેન્શન અપાયું
2013થી શરૂ કર્યું આજે પણ CMના સચિવ
1979 બેચના ગુજરાત કેડરના IAS કે. કૈલાસનાથન 2013માં 33 વર્ષની સેવા બાદ સેવા નિવૃત થયા છે. પરંતુ 2013 બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ CMO( મુખ્યમંત્રી ઓફિસ)માં કૈલાસનાથન માટે એક નવો હોદ્દો ઉભો કરી CMOમાં મુખ્ય અગ્ર સચિવ બનાવ્યા. ત્યારથી લઈ આજ સુધી આજ પદ શોભાવી રહ્યા છે કૈલાસનાથન.
કે.કે. અધિકારીઓ દ્વારા અપાયેલું હુલામણું નામ
કે. કૈલાસનાથનને અધિકારી વર્તુળ અને નેતાઓ કે.કે.ના હુલામણા નામથી ઓળખે છે. કૈલાસનાથ એકમાત્ર એવા નિવૃત IAS છે જેમને ગુજરાત સરકાર સતત છઠ્ઠી વખત એક્સટેન્શન આપ્યું હોય. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના વફાદાર તથા માનીતા અધિકારી તરીકે કૈલાસનાથનનું નામ પ્રથમ હરોળમાં છે. કૈલાસનાથ જાહેર કાર્યક્રમોથી દૂર રહે છે પરંતુ સરકારના કોઈ પણ નિર્ણયમાં કૈલાસનાથનનો રિવ્યુ ન લેવાઈ તેવું શક્ય જ નથી.
પ્રથમઃ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં
1 ડિસેમ્બર 2013થી 2014 સુધી (જ્યાં સુધી મોદી CM રહ્યા) કૈલાસનાથન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ રહ્યા.
જો કે અગાઉ 2010થી 2013માં પણ કૈલાસનાથન મોદીના અધિક મુખ્ય સચિવ રહ્યા હતા.
આ ઉપરાંત 2006થી 2008 સુધી કૈલાસનાથ જ્યારે નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ બન્યા ત્યારથી મોદીના વફાદાર અધિકારી તરીકે નામના મેળવી
દ્વિતીયઃ આનંદીબેન પટેલના કાર્યકાળમાં
મે-2014થી 2016ના બે વર્ષના સમયગાળામાં કૈલાસનાથ આનંદીબેન પટેલના મુખ્ય અગ્ર સચિવ રહ્યા.
તૃતિયઃ વિજય રૂપાણીના કાર્યકાળમાં શરૂઆતથી આજ દીન સુધી
2016 બાદ જ્યારથી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારથી કૈલાસનાથન CMના મુખ્ય અગ્ર સચિવ જ છે